SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ આગમોત અગર ઓછી બને, પરંતુ ગ્રામ–ચૈત્યમાં મુખ્યતાએ હેઈ શકે એમાં કંઈ આશ્ચર્ય નથી. એટલા માટે શાસ્ત્રકારે પ્રાતઃકાળે પિતાને ગૃહ-ચૈત્યમાં જ ભગવાન જિનેશ્વર-મહારાજનું દર્શન-પૂજનાદિ કરીને પણ ગ્રામચૈિત્યમાં દર્શન-પૂજનાદિ કરવાનું વિધાન શ્રીગશાસ્ત્ર, શ્રી શ્રાદ્ધદિનકૃત્ય વિગેરેમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે, એટલું જ નહિં, પરંતુ સાયંકાળે પ્રતિક્રમણ સાધુમહાત્માઓની પર્ય પાસના અને વિશ્રામણ કરીને ઘરે સૂવા જતી વખતે ગ્રામ-ચૈત્યમાં દર્શન કરવાની ફરજ જણાવે છે. પ્રભુ-દર્શન માટે સમય નિયત ન હોય? આ જગેપર કેટલાક માર્ગથી વિમુખને કદાચ ખેટું લાગવાને સંભવ છે, તે પણ કહુક-ઓષધિના ન્યાયે કહેવાની ફરજ પડે છે કે રાત્રિ થાય ત્યાર પછી દેહરે જવાય નહિ-એ વિગેરે માન્યતા ભગવાન જિનેશ્વર મહારાજના માર્ગથી ઉતરી ગયેલાઓની અને તેવા ઉતરી ગયેલાઓને અનુસરનારાઓની છે, પરંતુ ભગવાન જિનેશ્વરમહારાજના માર્ગને અનુસરનારા અને જૈનશાસ્ત્ર માનનારાઓની તે એ માન્યતા છે કે ભગવાન જિનેશ્વર-મહારાજના પૂજનને માટે ઉત્સર્ગથી સંધ્યાત્રયને નિયમ હોય, અને છે. પરંતુ ભગવાન ત્રિલોકનાથ તીર્થકર–ભગવાનના દર્શનને માટે તો કઈ કાળને નિયમ હતે નહિ અને છે પણ નહિ, અને તેથી જ ભગવાન હરિભદ્રસૂરિજી છે એ વિગેરે વચને કહી માત્ર પૂજાને માટે જ સંધ્યાત્રયને નિયમ રાખે છે. એટલે પૂજા માટે પણ હાલને નિયમ સર્વથા રખાય નહિ તે પછી દર્શનને માટે તે કોઈપણ કાળને નિયમ રખાયજ શાને? પ્રભુને જન્માભિષેક પણ રાત્રિએ થાય છે. વાચકેએ ધ્યાન રાખવું કે-ભગવાન જિનેશ્વર-મહારાજના જન્મ-મહેન્સ જે મેરૂ પર્વત ઉપર ઈદ્ર મહારાજાઓ કરે છે તે
SR No.540011
Book TitleAgam Jyot 1975 Varsh 11
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy