SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું ૨૫ એઘદષ્ટિથી વિચારવાવાળાઓને આ વસ્તુ ઘણી સારી લાગશે અને સુગમતા ભરેલી પણ જણશે, પરંતુ શાસ્ત્રના માર્ગ તરફ દષ્ટિ કરનાર મનુષ્યને આ ઓઘદષ્ટિવાળાને રચતી વસ્તુ રૂચિ કરનાર થઈ શકશે નહિં. કારણ કે માર્ગને માનવાવાળા મનુષ્યોને ભગવાન જિનેશ્વરમહારાજના વચને ઉપર વિશેષ ધ્યાન આપવાનું હોય છે, અને ભગવાન જિનેશ્વર-મહારાજનાં વચને માત્ર જિનપ્રતિમા હેવા માત્રથી આરાધના કરવા લાયકપણું જણાવતાં નથી, કારણ કે બાળરસ્થિયપરાિ સર્દૂિતાવારું એ વિગેરે વાક્યો ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિમાં માત્ર જિનેશ્વર મહારાજને આકાર હોય એટલા માત્રથી આરાધ્યતા હોવાનું જણાવતાં નથી. અભિનિવેશથી ચિત્યને કરાતે બેટે અર્થ જો કે શાસ્ત્રથી વિરુદ્ધ બોલવા અને ચાલવાને પરંપરાથી ધધો લઈ બેઠેલા એવા ઢુંઢીયાએ ચૈત્ય શબ્દથી સાધુ લઈને ભગવાન જિનેશ્વર મહારાજનાં ચૈત્ય અને પ્રતિમાઓ ઉડાવવા માંગે છે. પણ તેઓ શું મિથ્યાત્વીઓને માન્ય હોવા માત્રથી જ પિતાના સાધુઓને છોડવા માંગે છે, કે તેનું બીજું કારણ છે. યાદ રાખવું કે મૂર્તિ ચેતના-રહિત છે અને તેથી તે મૂર્તિ ઉપર તેને ગ્રહણ કરનારના ભાવને બધો પ્રભાવ પડે છે. પરંતુ સાધુ મહારાજ અચેતન નથી, કિંતુ જગતનું ઊંચામાં ઊંચુ જ્ઞાન ધરાવનારા અને મહાપુરૂષની પદવીમાં ચઢેલા છે, તેથી તેઓ કેઈથી પરિગ્રહીત હોય નહિ અને જ્યારે પરિગ્રહીત ન હોય ત્યારે તેમની ઉપર ભક્તના વર્તનની છાયા પડે નહિ અને તેથી સાધુ અન્યથી ગૃહીત થતાં અવંઘ ન થાય. આ બધી વસ્તુ વિચારનાર મનુષ્ય સહેજે પણ અક્કલવાળે હશે તે ઉપર જણાવેલા ઉપાસક દશાંગના પાઠમાં ચૈત્ય શબ્દને અર્થ સાધુ કરવા માટે સ્વને પણ તૈયાર થશે નહિ. આ. પુ. ૧–૩,
SR No.540011
Book TitleAgam Jyot 1975 Varsh 11
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy