________________
આગમત પ્રતિમાપકોને પણ માન્યા સિવાય છૂટકે જ નથી, તે પછી તેવા ત્રિલેકનાથ-તીર્થકર ભગવાનની પૂજમાં થતી હિંસાને એકાન્ત–પાપનું કારણ માનવી અને તેને ફલ તરીકે પૂજા કરનારને દક્ષિણ દિશાના નારકી થવાનું જણાવવું તે ભગવાન જિનેશ્વર-મહારાજથી અને તેમના શાસનથી અનન્ત–ભ સુધી દૂર રાખનારૂં જ થાય, તેમાં નવાઈ નથી. શું સ્થાનકવાસીના સૂત્રોમાં
પ્રતિમાપૂજન મહાપાપકારી છે? વાચકોએ તે પ્રતિમાના લેપકને પૂછવું જોઈએ કે–
તમારા માનેલા બત્રીસ-સૂત્રોમાંથી કેઈ પણ સ્થાને જિનેશ્વરમહારાજનું ચિત્ય કરવાથી કે તેમની પ્રતિમાનું પૂજન કરવાથી મહાપાપ થાય છે, એવું જણાવનારે એક પણ શબ્દ છે? તેઓને કહેવું જ પડશે કે જિન-પ્રતિમાની પૂજા કે જિન-મૈત્યને અંગે પાપ જણાવનારો તે એક પણ શબ્દ નથી,
વળી શ્રી સૂયગડાંગસૂત્રમાં અનર્થદંડની વાતમાં નાગ, ભૂત, યક્ષ વગેરેને માટે થતી હિંસાને અંગે અર્થદંડપાનું જણાવેલું છે, પરંતુ ત્યાં જિન-પ્રતિમાની પૂજા કે જિન–ચૈત્ય વગેરેનું નામ નિશાન પણ નથી.
શ્રી આચારાંગ-સૂત્રના બીજા-શ્રુતસ્કંધમાં અનેક-શ્રાવકના દેવતાયતન અને દેવકુલને અંગે હિંસા ગણવાનું અને તેનું પાપ થવાનું જણાવવામાં આવેલું નથી, એટલું જ નહીં, પરંતુ તે દેવતાવેતન અને દેવકુલવાળા શ્રાવકને જૈનશાસન અને સાધુ-આચારના જાણકાર તરીકે જણાવેલા છે.
વળી શ્રી સૂયગડાંગ સૂત્રમાં પણ સાધુપણાથી પતિત થયેલાની આગળ સ્ત્રીએ દેવતાની પૂજા માટે વપરાતી વાટકી જે ચન્દ્રક કહેવાય છે, તે માંગ્યાને અધિકાર છે, એ ઉપરથી સ્પષ્ટ સાબીત થાય છે કે-સાધુપણાથી પતિત થનારા કુટુંબે પણ ભગવાન-જિને