SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું ૬૩ આ ઉપરથી સમજાશે કે દાનધર્મ અને શીલધર્મ એ બે ધમ આકર્ષકના જોરને નાશ કરીને કરવા પડતા નથી, પણ આહારની પ્રવૃત્તિ અને ઈચ્છા તે આ જીવને હમેશાં આકર્ષનાર રહે છે. દરેક આદમી તપાસશે તે માલમ પડશે કે પિતે ભૂખને યાદ લાવતે નથી, પણ ભૂખજ તે જીવને પિતાનું ભાન કરાવે છે અર્થાત આ તપસ્યાની ક્રિયામાં આવનારને ભૂખનું આકર્ષણ અને દબાણ કઈ જુદી જાતની જ અસર કરે છે, વળી એકવાત એ પણ વિચારવા જેવી છે કે બાહ્ય સંજોગો કોઈપણ જીવને અનાદિથી અનુકુલતાવાળા નથી, તેમ ઇંદ્ધિ અને મન પણ અનાદિના અપ્રતીતપણે નથી, છતાં તપસ્યાને અંગે છોડ પડતે આહાર તે અનાદિકાલને છે અને તે આહારની ઈચ્છા કરાવનાર તૈજસ-કાશ્મણ શરીરે પણ અનાદિકાલથી કઈ પણ દિવસ કે સમય છુટા પડયા સિવાય આત્માની સાથેને સાથે જ ચાલુ રહેલા છે, એવા અનાદિના ગઠીયા તરીકે રહેલા તૈજસ-કામણ ઉપર પ્રભાવ પાડવાનું કાર્ય જેઓ કરવા માગે તેજ તપસ્યા કરવાને તત્પર થઈ શકે. વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે બાહ્ય સંજોગો કંઈ કમ ઉદયના પ્રભાવે નથી, તેમજ ઇંદ્રિયને વિષની પ્રાપ્તિ જે થાય તે પણ કમ ઉદયના પ્રભાવે નથી, કિંતુ ક્ષયે પશમના પ્રભાવે છે, પણ આહાર કરે કે આહાર કરવાની ઈચ્છા થવી તે તે કેવલ ઉદયને પ્રભાવે જ છે માટે તપસ્યા ને કરનાર મનુષ્ય ખરેખર કર્મો અને તેના ઉદયોની હામાં થનારે થાય છે, આ વાતને બરોબર સમજનાર મનુષ્ય હેજે સમજી શકશે કે શાસ્ત્રકારે જેમ દાન ધર્મથી મુખ્યતાએ ભેગેની પ્રાપ્તિ તથા શીલ ધમથી સુખ સંપત્તિ જણાવે છે. તેમ તપસ્યા કરવાથી કર્મક્ષય રૂપી ફલ કેમ જણાવે છે? અથવા કર્મક્ષયને માટે તપસ્યાની કેમ જરૂર જણાવે છે?
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy