________________
આગમત થયો માને છે, ઈર્ષામાં અવળો ફેટે આવે છે. બીજા સુખમાં ત્યારે અહીં બળતરા થાય છે. અને બીજા હેરાન થાય ત્યાં પિતાને આનંદ થાય છે. માટે ત્રીજી ભાવના જણાવે છે. ત્રીજું પગથીયું ચડો. બીજે જે કોઈ પ્રકારે સુખ પામે છે તે સુખને અંગે પિતાને સંતોષ થે જોઈએ, દુઃખને નાશ કરવાનું જેટલું જરૂરી તેટલું જ બીજાના સુખમાં સંતોષી થાય એ જરૂરી છે, ઈર્ષ્યાને દેશવટે દઈ દે. કથંચિત આ પગથીયું ચડવું સહેલું પણ છે.
ચોથું પગથીયું ચડવું તે મુશ્કેલ છે. જેથી વસ્તુ ઘણી મુશ્કેલ છે. જગતમાં પ્રયત્ન કરવામાં આવે પણ પ્રયત્નની. પ્રતિકૃલતામાં મધ્યસ્થ રહેવું તે બહુ મુશ્કેલ છે. મહેનત કર્યા છતાં મહેનતનું ફળ ન થાય તે વખતે મગજને ઠેકાણે રાખવું મુશ્કેલ છે. કાર્યની સફલતા નિષ્ફળતામાં સમપણું દેખાય ત્યારે સમજવું કે આ પરોપકાર માટે છે. જ્યાં મહેનત કરી છતાં સફળ ન થયે ત્યારે ખેદ પામે, મહેનત કર્યાથી ફાવ્યા તે બંદા ફાવ્યા જે ન ફાવ્યા તે પેલે પથરે છે, એમ કહેવું. આટઆટલી મહેનત કરી સમજાવ્યા છતાં પથરો ન સમજે. આમાં પરોપકાર ન ગણાય, હજ કર્મરાજા માગ ન દે એમ ધારણ કરે તે લાભ! આપણે પણ અનાદિથી રખડીએ જ છીએ, અગાઉ આપણે પણ તેના જેવા પત્થર જેવાજ હતાઆજે લગીર ડહાપણ આવી ગયું, પરોપકાર માટે પ્રયત્ન ત્યારે જ ગણાય કે જ્યારે મધ્યસ્થપણું રહે હિતબુદ્ધિ, દુઃખનાશની બુદ્ધિ, બીજાના સુખમાં સંતોષ રાખ તે ત્રણ પગથીયાં ચડવાં સહેલાં છે. પણ હિત કરવા જતાં સફળતા ન મળે તો પણ મધ્યસ્થવૃત્તિ રાખી બીજાના દેશ સુધારવા પ્રયત્ન કર! ન સુધરે તે ચીડાઈશ નહીં ક્રોધ ન કરીશ, પરંતુ મધ્યસ્થષ્ટિ રાખજે.
આ ચાર વૃત્તિવાળાનું અનુષ્ઠાન દાન, શીલ, દેવ-ગુરૂ પુજા વગેરે જે ધર્મ અનુષ્ઠાને હેય તે ધર્મરૂપ થાય, આ ચાર ભાવના વગર કરે તે તે ધર્મમાં તેઆવી શક્યું નથી.
માટે આ ચાર ભાવના ઇશાનમાં રાખી જે જીવો ધર્મારાધન કરશે તે આ લેક પરકમાં સુખ પામી અનંત શાશ્વત સુખના ભોક્તા બનશે.