SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩-જુ ના પાડી. પેલા જુના પાપી, ધમ તે માટે કહે છે કે પાપ થઈ ગયું હોય તે પણ શુભ પરિણામ તપસ્યાથી તે પાપ તેડનાર તમો થાઓ, પણ દુઃખ ભેગવી તોડવાવાળા ન થાઓ, આ બીજી મૈત્રીભાવ નાની શ્રેણિ. કર્યું હોય તે પાપ બીજી રીતે દૂર કરનાર થવ દુઃખ ભોગવનારન થાઓ આ પછી આખું જગત પા૫ મુક્ત થઈ ચિદાનંદસ્વરૂપી થાવ. એમ ધારવું. આ મૈત્રીભાવના ત્રણ પગથીયાં છે. કોઈપણ પાપ ન કરે! કઈ પણ દુઃખી ન થાઓ. અને દરેક ચિદાનંદ સ્વરૂપવાળા થાઓ આવે જે વિચાર હેય તે ધર્મના પ્રથમ પગથિયામાં ગણાય, બીજાનું હિત કરવું તેજ પિતાનું હિત ગણાય. જે નાતમાં સમજુ શેઠી હોય તે સમજે કે નાતની શેઠાઈ એ હારી શેઠાઈ છે. પારકી બેટી ઘેર લાવી ઘર સોપવું છે. ઘરની બેટીને પારકે ઘેર સેંપવી છે. જે આખી નાત સારી કરી હશે તે ઘેર સારી વહ આવવાની છે. આખી નાતને સારી કરી હશે તે પિતાની છોકરી સુખી થવાની છે. એમ અહીં આખા જગતનું હિત વિચાર્યું” એટલે પિતાનું હિત તેમાં સમાયેલું જ છે. બીજી ભાવનામાં પરણવનારાની તથા બીજાએ દુઃખી ન થાવ. પણ દુઃખી થાય એનું શું ! આ જગતના તમામ છ જન્મ–જરા-મરણ–આધિ-વ્યાધિ-અનિષ્ટસંગ-ઈષ્ટવિગ વિગેરેથી હેરાન થઈ રહેલા છે. આ જીના તમામ દુખ નાશ કેમ થાય? બીજાના દુઃખને નાશ કરવાનો વિચાર તે કરૂણ, બીજાના દુઃખને નાશ કરવાની બુદ્ધિ રૂપ કરૂણ જેના હૃદયમાં વસી હોય તે ધર્મના બીજા પગથીયામાં આવ્યો ગણાય. જગત પણ શત્રુને દુઃખી દેખી કંપી જાય છે. પરંતુ એક મોટી ચીજ હજુ ખસતી નથી. વરસાદને અંગે કહીએ છીએ કે એ કાળે ત્યારે જગત ઉજળું. અને એ ઉજળ ત્યારે જગત કાળું. સામાન્યથી દુઃખને અંગે દયાની લાગણી થાય છે પણ ઈષ્ય એવી ચીજ છે કે બીજાના દુખે પિતે સુખી
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy