SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત પહેલી હોયજ એ નિયમ નથી લેતા. જેમ અગ્નિ અને ધુમાડે. - જ્યાં ધૂમાડે હોય ત્યાં અગ્નિ જરૂર હોય પરંતુ જ્યાં અગ્નિ હોય ત્યાં ધૂમાડે હેય એવો નિયમ નથી હોતે, પણ આ ચારિત્રની ઉપાદેયતા અને જ્ઞાન-દર્શન માટે તે ઉભય અવધારણુજ છે. જ્યાં ચારિત્રની ઈચ્છા હોય ત્યાં જ્ઞાન–દશન જરૂર હોય અને જ્યાં જ્ઞાન-દર્શન હોય ત્યાં ચારિત્રની ઈચ્છા પણ જરૂર હોયજ. એટલે ઉત્પત્તિની અપેક્ષાએ આપણે વિચાર કરીશું તે આપણે કહેવું પડશે કે કેવળજ્ઞાન-દર્શનની જડ ચારિત્ર છે, અને જે પ્રતિપંથકની અપેક્ષાએ વિચારીએ તે ચારિત્રમેહનીયની હયાતીમાંજ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મને બંધ થાય છે. એટલે જ્યાં સુધી મેહનીય હયાત રહેશે ત્યાં લગી મતિ-કૃત-અવધિ મન:પર્યવ અને કેવળ -જ્ઞાનાવરણીય, ચક્ષુ-અચક્ષુ-અવધિ-અને કેવળ-દશનાવરણીય–એમ એ નવ પ્રકારના આવરણીય બંધાતા રહેવાના. ચારિત્રમેહનીય એજ-જ્ઞાન-દર્શનાવરણના સડાનું ઉત્પાદક નાશ થયું, એટલે પછી એમાં લેશમાત્ર પણ વધારે નહિ થવાને. એટલે ટૂંકમાં કહીએ તે મોહનીય કર્મ એ બંધનું પણ કારણ છે અને કર્મ ટકી રહેવાનું પણ એક જ કારણ છે. એ મેહનીય કમને નાશ કરવા માટે આત્માના સંયમસ્વરૂપની આરાધના કરવી પડે છે અને જ્યારે એ આરાધના સંપૂર્ણ થાય છે ત્યારે જ્ઞાનદર્શન આપોઆપ બે ઘડીમાં આવી મળે છે. મહાનુભાવે ! મેહનીય કર્મ એટલે કર્મને બજાર ! એ બજારમાં જાઓ તે દરેક પ્રકારના કર્મ તમને વળગી પડવાના. એને દૂર કરવાનો આ દ્વિતીય માર્ગ તે ચારિત્ર છે. એ ચારિત્રની -આત્માના સંયમ સ્વરૂપની આરાધના કરે એટલે એ કર્મોને પુંજ તમને વળગતે અટકશે. સંયમાત્માની વધુ પુષ્ટિ માટે આપણે જરા વધારે વિચાર કરીએ અને કાર્યકારણને સંબંધ વિચારીને ચારિત્રનું એમાં શું
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy