SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ–પુ-૧ શમણુ ભગવાન મહાવીર મહારાજે પ્રવર્તેલા રાજ્યને વધારવા દ્વારા પોપકારિતા કે ઉત્તમતા વનિત કરી છે. ભગવાન ઋષભદેવજીની પણ દ્રવ્યથી પરેપકારિતા આ પોપકારિતા અન્ય તીર્થકોમાં અસ્પષ્ટપણે હોય તે પણ ભગવાન નષભદેવજીમાં તે તે દ્રવ્યપણે પણ પરે પકારની દશા ઘણીજ સ્પષ્ટપણે છે એમ સૂત્રકારો અને ગ્રંથકારે સ્પષ્ટપણે જાહેર કરે છે. તેથી ભગવાન રાષભદેવજીની તે તે પોપકારિતાને અગે કંઈક વિચાર કરીએ તે તે અસ્થાને ગણાશે નહિ, પણ તે ભગવાન ઋષભદેવજીની પરોપકારિતા જણાવવા પહેલાં બે વાતને ખુલાસો કરવાની ઘણીજ આવશ્યકતા છે. કઈ કઈ ગુણે કઈ કઈ તીર્થકરમાં વધારે હેય ને કહેવાય તેથી અન્યનું અપમાન નથી પ્રથમ વાત તે એ છે કે સત્ય સ્વરૂપની ખાતર એકલા ભગવાન ઋષભદેવજીની જે પરોપકારિતા જણાવીશું તે તેમના યુગાદિદેવપણા આદિની માફક જોકે તેમને એકલાને જ લાગુ થશે અને તે પરોપકારિતા બીજા તીર્થકરોને તેવી રીતે લાગુ નહિ થાય, પણ તેથી આ લેખક ભગવાન ઋષભદેવજીનું જ સન્માન કરી અન્ય તીર્થકરોનું અપમાન કરવા માગે છે એવી જુઠી અને બેહુદી કલ્પના કરવાને કેઈપણ મનુષ્ય મનમાંકડાને તૈયાર કરે નહિ, કેમકે દરેક તીર્થકરે કેવલજ્ઞાનાદિ ગુણેને અંગે સરખા હોય છે, છતાં દુન્યવી વિગેરે સર્વ બાબતમાં સર્વ તીર્થકરે સરખાજ હોય એવું કંઈ પણ જૈનશાસ ફરમાવતું નથી. કેઈપણ શાસ્ત્ર પ્રેમી તેમ માનતું પણ નથી. જિનેશ્વરના ચરિત્રને જાણનાર મનુષ્ય શું એમ નહિ માને કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજને જેવાં અસાતવેદનીના કર્મો પરિસહ ઉપસર્ગ દ્વારા ગવવાં પડયાં છે, તેવાં તેમના સિવાય બીજા કોઈપણ તીર્થકરને ભેગવવા પડ્યાં નથી, અને ભગવાન
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy