SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ ચેત યુગાદિદેવને પ્રવજ્યા ગ્રહણ કર્યાના બીજા દિવસથીજ આરંભીને લાગલગટ બાર મહિના સુધી જે આહારના અંતરાયને ઉદય સહન કરે પડે છે, તે બીજા કેઈપણ તીર્થકરને અંતરાયને ઉદય સહન કરવું પડે નથી. અર્થાત્ જૈનશાસ્ત્રને જાણનારે તે સ્પષ્ટપણે જાણી અને માની શકે તેમ છે કે ઔદયિક, ક્ષાપશમિક ભામાં એક જ પ્રકારપણને નિયમ રહી શકે નહિ. એક પ્રકારપણાને નિયમ જે કોઈપણ જગ પર રહી શક્ત હોય તે તે ક્ષાયિકભાવને અંગેજ રહી શકે, અને તેથી શાસ્ત્રાનુસારી છે સર્વ તીર્થકરના કેવળજ્ઞાનાદિ ક્ષાયિક ગુણને એક સરખા માનવા તૈયાર થાય તે સ્વાભાવિક છે, અને તે સિવાય બીજી બાબતમાં વિચિત્રતા હોઈ, કેઈ તીર્થકરોમાં કઈ બાબત, અને કેઈક તીર્થકરોમાં કઈ બાબત અધિક હોય તેમાં આશ્ચર્ય નથી, તેથી અધિક બાબત તે તે તીર્થકરની સ્તુતિ કરતાં અન્ય તીર્થકરેનું અપમાન થયું એમ કહેવું એ પરમાર્થથી ગુણસ્તુતિને દ્વેષ કરવા જેવું જ ગણાય, માટે તે તરફ વાચકેએ ભૂલેચૂકે પણ દેરાવું વ્યાજબી નથી, અને લેખકને આશય પણ પપ્તાંતરે અન્ય તીર્થકરોની અવનતિ કરવાને હેયજ નહિ, માટે અવનતિની કલ્પના કરનારોજ અવનતિ કરવા તૈયાર થયું છે એમ માનવું પડશે. ભાવ ઉપકાર કરનાર જિનેશ્વરે હોય તેમ કોપકારી પણ હેય - બીજી વાત એ છે કે મેક્ષમાગને પ્રવર્તાવવા દ્વારા સર્વ તીર્થકરે જે ભાવ થકી ઉપકાર કરે છે, તે એકાંત હિતકારી અને પર્યવસાને પરમ પદ રૂપી ફળે કરીને ફળવાળે થનાર હોય છે, પણ ભગવાન જિનેશ્વરે કે બીજા કોઈએ પણ કરેલ દ્રવ્ય ઉપકાર એકાંત હિતનેજ કરનાર કે પરમપદ રૂપી ફળનેજ કરનારે હેય એ નિયમ નથી અને તેથી જ તેવા ઉપકારને દ્રવ્ય ઉપકાર કહેવામાં આવે છે, પરંતુ વિવેકનાથ તીર્થકર ભગવાને તેવા
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy