SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ તે આવી રીતે બે વર્ષની વાર માલમ પડી ત્યારે મહારાજા નંદિવર્ધન નની વિનંતિ અને કુટુંબની કાલુદીને બે વર્ષના અવસ્થાનમાં નિમિત્તરૂપે દાખલ કરી, બે વર્ષની મુદતને સ્વીકારવાની શરતે તે પણ ભગવાન મહાવીર મહારાજે તે બે વર્ષ માટે જે શરતે કરાવી છે તે શરતેને વિચાર સામાન્ય જનની દષ્ટિએ નહિ પણ રાજકુમારપણાની સ્થિતિને અંગે વિચારીએ તે ખરેખર તે સત્વનું કઠિનપણું વિયેગના દુઃખ કરતાં પણ અત્યંત તીવ્ર ગણાય. (મ) બે વર્ષ દરમ્યાન અર્થાત ચોવીસ મહિના જેવા લાંબા કાળ સુધીમાં હું એક પણ વખત સ્નાન કરીશ નહિ. (આ) વીસ મહિના જેવી લાંબી મુદત હું ગૃહસ્થપણમાં રહે તે પણ સંપૂર્ણપણે બ્રહ્મચર્યને પાળીશ. (મહાવીર મહારાજની હયાતી અને હાજરીમાં એક જ ભવનમાં ભગવાન મહાવીર મહારાજા બ્રહાચર્ય પાળે તેમાં યશદાની શી સ્થિતિ થાય? અને તે નંદિવર્ધનથી કેમ સાંખી જાય?) (૨) બે વર્ષ દરમ્યાન કેઈપણ દિવસ કે કોઈ પણ વખત મારા માટે બનેલી કોઈપણ રઈ વાપરવી નહિ. રાજકુમાર જેવી અવસ્થામાં સાધુની માફક અન્યને માટે જ કરેલું લેવાને નિયમ કરે અને તે પ્રમાણે જ વર્તવું એ સ્નેહાધીન કુટુંબીઓને દેખવું કેવું ભારે પડે! એ સહેજે પણ કલ્પી શકાય તેવું છે.) ( જેમ સાધુ મહાત્માઓ કે ઉત્કૃષ્ટ શ્રાવકે સચિત્ત જલને ચમારંભ વર્જવા માટે પીવાને માટેનું પાણી પણ ફાસુ જ રાખે છે. તેવી જે રીતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા આખા કુટુંબની રીતિ કરતાં વિચિત્ર રીતિએ પિતાને માટે નહિં કરેલા એવા અને કેવળ ફાસુ પાણીના નિયમ ઉપર નિર્ભર રહે છે. (આ વસ્તુ દેખતાં
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy