SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ–૫ પુ.-૩ હું કહું છું કે શ્રાવકધર્મના માત્ર મુલતને જાણનારે સામાન્ય માણસ પણ એ સાધુને જરૂર વહેરાવેજ એટલું નહિ, પણ ધારે કે શ્રાવક કુળ ન હોય અને સામાન્ય માણસ કે જે કંઈ આર્યવંશમાં જન્મેલે હેાય તે માણસ પણ સાધુને આપવું જોઈએ એવીજ બુદ્ધિ ધરાવનારે હોય. હવે જો તમે એ સાધુને નથી વહોરાવતા તે એને તપશ્ચર્યાને કાળ લંબાય છે અને જો તમે એને વહેરાવે છે તે નિર્જર બંધ થાય છે. તે હવે એવા સાધુને તમો ગોચરી આપે તે ગોચરી આપવાથી નિર્જરા બંધ થાય. એના પપના તમે ભાગીદાર ખરા કે નહિ? જેની બુદ્ધિ માત્ર રિવાજ પ્રમાણે ગતિ કરવાનું જ શીખેલી હશે તે માણસ સહેજે એમ કહી શકશે કે દાન આપવાથી સાધુની નિજર તૂટે છે માટે એ નિર્જરા તેડવામાં-સાધુને વ્રતથી દુર કરવામાં જે કંઈ એને વહેરાવે તે પાપને ભાગી છે. લેચ વખતે, આગમ ગ્રહણ વખતે, ધર્મની ભાવના ચાલી રહી હતી, તે ભાવનાને વહેરાવીને તમે સાધુને પ્રમાદી બનાવ્યા, માટે તમે સાધુના હિતકર્તા નથી પણ તેના શત્રુ છે. શું આ વાત તમારે ગળે ઉતરે છે કે? નહિજ ! - તમારે તે શું પણ મારે કહેવું પડશે કે એક સામાન્યમાં સામાન્ય માણસ હોય તેને ગળે પણ આ વાત નહિજ ઉતરે. અને આ હું તમને ખાતરીથી કહું છું કે એ રીતે સાધુને વહે રાવનારને પાપને એક છોટે પણ લાગતું નથી એટલું જ નહિ પણ અમેઘ પુણ્ય જ છે. દાન-શીલને પરસ્પર સંબંધ ત્યારે તમે મને એ પ્રશ્ન જરૂર કરી શકે છે કે સાધુને દાન આપીએ અને નિર્જરાને ભંગ થાય તે માટે દાન આપનારને જવાબદાર કેમ ન ગણ જોઈએ. હું તેમને એક સીધી સાદી
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy