SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષય પુ.-૩ ઉદ્દેશ જરૂર રાખવું જોઈએ, અને એ ઉદેશ રાખવો એ શાસ્ત્રીય છે. પરંતુ ભાવપૂજા વખતે દ્રવ્યપૂજાને ઉદ્દેશ રાખવો એ શાસ્ત્રીય નથી. આ વાત આમ સિદ્ધાંતરૂપે જણાવીએ છીએ ત્યારે અર્થ ગ્રહણ કરવામાં ઓછી શક્તિવાળા છતાં પિતાને સર્વશક્તિમાન માનનારા કેટલાક મૂર્ખાએ અવળું જ લઈ પડે છે અને તેઓ કહે છે કે પૂજા કરીએ તે કરતાં સામાયિક કરીએ તે તે વધારે સારું છે તે પછી પૂજા કરવાની જરૂર જ શું છે! પૂજા કરવામાં જેટલો વખત રોકીએ. તેટલો જ વધારે વખત સામાયિકમાં રેકીએ તે ખેટું શું! સામાયિક પહેલું ? કે પૂજા પહેલી ? ઠીક, હવે આપણે ઉપરના પ્રશ્નને વિચાર કરીએ ગુરુ પાસે જ્યારે સામાયિક લેવામાં આવે છે ત્યારે ખમાસમણ દેવામાં આવે છે તે તે તમે સઘળા જાણે છે, તે પછી એ ખમાસમણમાં જેટલે સમય ગાળવામાં આવે છે તેટલે વખત ન ગાળતા તેટલો સમય વહેલું સામાયિક લેવામાં આવે તે કેમ? તમે કહેશે કે એટલે સમય ગુરુવંદનમાં ન ગાળતા તેટલે સમય સામાયિક લેવું એજ વધારે બહેતર છે, પણ આ માન્યતા કેવી ભૂલભરેલી છે તે જુઓ! તમે સામાયિક સમયે જે ગુરૂવંદન કરે છે તે ગુરૂ વંદન પણ સામાયિક રૂપે જ છે કારણ કે તમે એ ગુરુવંદન સામાયિકના ઉદ્દેશથી જ કરે છે તેજ પ્રમાણે પૂજાવિધિમાં પણ લેવાનું છે. તમે તીર્થકર ભગવાનનું પૂજન કરે છે એ શા માટે કરે છે? શું પૈસા મેળવવા માટે, સ્ત્રી મેળવવા માટે, પુત્રપુત્રી મેળવવા માટે, તમે તીર્થંકર પૂજા કરો છે? નહિ. તીર્થંકર પૂજા સાવદ્ય ત્યાગ માટે લેવાથી તેનું ફળ સામાયિકથી ઉતરતું નથી જ! સામાયિક સમયે ગુરૂવંદન કરે છે. એ ગુરૂવંદનની કિંમત સમજે તે પણ બસ છે. ગુરૂની કિંમત ભગવાનની સામે કેટલી છે? એક ટપાલી જેટલી ! ટપાલી એક કાગળ એક જગ્યાને લઈને બીજી જગ્યાએ આપે છે તે પ્રમાણે ગુરૂઓ તીર્થ કરના કથિત
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy