SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ વર્ષ–૨૫-૩ સમકિતી સમ્યકત્વ પામે ત્યારથી જ તેની ધારણું એ તે હેવી જ જોઈએ કે હું ધર્મ ઉપર રાગ રાખું છું. ધર્મશ્રવણ પર રાગ રાખું છું, દેવગુરુ ઉપર રાગ રાખું છું, ગુરૂ શુશ્રુષા કરું છું. પરંતુ તે બધામાં મુદ્દાની વાત તે એ છે કે મારે મીઠાઈ રૂપ મેક્ષ મેળવે છે, અને એ મોક્ષના મુદ્દાએ જ-કર્મક્ષય હે એ મુદાએ સઘળા ધર્મ કાર્યો કરી રહ્યો છું. કીડીની પ્રવૃત્તિ તમે જેશે તે મીઠાઈ મેળવવાને માટે તલ્લીન ! તે મીઠાઈની ચારે પાસે ફરશે, મીઠાઈનાં ટેપલની ચારે બાજુ તમે રાખેડીને ઢગલે કરશે તે તે ઢગલાની ફરતી વારંવાર ફર્યા કરશે અને જ્યાં જરા સરખો રાતે મળે કે ઉપર ચઢવા જ માંડશે, પછી તમે ગમે એટલા પ્રયત્ન કરશે તે પણ તે શેકાવાની નથી, તેમ આત્મા પ્રકાશને માટે તલ્લીન રહેવું જોઈએ, જ્યાં જરા સરખી તક મળે કે તેણે એ માગે વળી જ જવું ઘટે છે. સમકિતની પ્રાપ્તિ થયા પછી આત્માનું વર્તન આ કડીના જેવું જ મેક્ષાર્થે સતત ઉઘોગશીલ હોય છે. કર્મનિર્જરાના ધ્યેયનું મહત્વ મહાનિશીથસૂત્રમાં અને શ્રાવપ્રજ્ઞપ્તિમાં શ્રાવકની મુસાફરીની વાત ચલાવવામાં આવી છે, તેમાં જણાવવામાં આવ્યું છે કે એક શ્રાવકને દરિદ્રપણું આવ્યું છે, દરિદ્રતા આવવાથી તે વિચારે છે કે હું પરદેશમાં જાઉં, અને ત્યાં પરિશ્રમ પૂર્વક કાર્ય કરીને દ્રવ્ય મેળવું. કને પશમ થવાની અંદર દ્રવ્યાદિ ચાર કારણ છે, ઉદય થવામાં પણ ચાર કારણ છે. અર્થાત્ હું આ ક્ષેત્રને ત્યાગ કરીને બીજા ક્ષેત્રમાં જઈશ, તે ક્ષેત્ર બદલાશે અને તેથી મને લાભ થશે! આ ક્ષેત્રમાં મારું ચારિત્રમેહનીય તૂટતું નથી, પરંતુ જે હું બીજા ક્ષેત્રમાં જાઉં અને તે એ ક્ષેત્ર મને મેહનીય તોડવામાં મદદ કરે અને હું મહાવ્રત લેવાવાળો થાઉં, તે મને માટે લાભ છે. સ્વદેશમાં દારિદ્રય પામેલે પરદેશ જવા ધારે છે, તેમાં પણ તેને એ વિચાર છે કે ક્ષેત્રમંતર થવાથી કમેને ક્ષયે પશમ થશે અને
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy