SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ આગમ જ્યોતિ ચારિત્રની પ્રાપ્તિ થશે, તે મારા આત્માનું કલ્યાણ થઈ જશે, પરંતુ જે તે નહિ થાય અને કદાચ અંતરાયને ક્ષયપશમ થશે તે મને દ્રવ્ય મળશે, અને મારું દારિદ્રય જશે! આ શ્રાવકને પહેલે વિચાર તે એ છે કે ક્ષેત્રમંતર-થવાથી ક્ષપશમ થશે અને ક્ષયે પશમ થવાથી ચારિત્ર પામીશ, આ તેને મુખ્ય વિચાર, જો તેમ નજ થાય તે પછી છેવટે અંતરાયને ક્ષપશમ થવાથી દ્રવ્ય તે મળશે, એ તેને ગૌણ વિચાર. કીડી મીઠાઈને ઢગલાની ચારે બાજુએ ફરતી ફરે છે, પરંતુ તેનું ધ્યાન એક મીઠાઈ ઉપર જ હોય છે. તે જ પ્રમાણે સમકિતી પણ હંમેશાં ક્ષયોપશમના મુદ્દાવાળા જ હોય છે, પ્રથમ વસ્તુ તરીકે એનું લક્ષજ ચારિત્રમાં હોય છે, કડી મીઠાશ મેળવવાના હેતુથી કુંડાળાની આસપાસ ભમ્યા કરે છે, તે જ પ્રમાણે સમકતી જીવની દષ્ટિ પણ મેક્ષ તરફ જ રહે છે. કીડી સાકરને દાણ મેળવવા કુંડાળાની ચારે તરફ ફરતી ફરે છે. ત્યારે એ વિચાર કરતી નથી કે મેં આ માર્ગમાં આટલું અંતર કાપ્યું છે. તે એજ વિચાર કરે છે કે મારે હજી તે એટલે પંથ કાપવાનું બાકી છે, અને હું એટલે પંથ કાપીશ ત્યારે જ મારી ફરજ પૂરી થશે. સમ્યક્ત્વની ખબર સમકિતી જીવની દશા એજ પ્રમાણે હેવી જોઈએ, સમકિતીને કેવલજ્ઞાન પામવામાં જેટલી એ છાશ હેય તે ઓછાશ બદલ જ તેને ખેદ થાય છે. સમ્યકત્વની પ્રાપ્તિને આનંદ તેને જરૂર થવા પામે છે, પરંતુ તે આનંદ ઉપરજ તે પિતાની ગણતરી બાંધતે નથી. કીડી પિતે આટલું ચાલી છું એવી ગણતરી નથી ગણતી, પરંતુ આટલું બાકી રહ્યું છે એવી જ ગણતરી ગણે છે. તે જ પ્રમાણે સમકિતી પણ પિતે જેટલી પ્રાપ્તિ કરી છે, તેને વિચાર કરતું નથી, પરંતુ હજી મેક્ષ આટલા અંતરે છે એજ તે વિચારે છે. અને એ અંતર વિચારીને તે દિશાએજ પ્રયત્ન કરવામાંજ તે કર્તવ્ય માને છે. એ
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy