________________
વિર્ષ૫ ૫-૩
૧૭૧ વિવક્ષિત નગરની નજીક આવે નહિ ત્યાં સુધી જે કે વસ્તુતાએ આ મુસાફર મુખ્ય શહેર તરફ જ વધે છે, છતાં તે વિવક્ષિત શહેરના એક અંશને પણ જેવા મુસાફર ભાગ્યશાલી થતું નથી.
અત્રે એમ કહેવું જ જોઈએ કે વિવક્ષિતનગરની અદશ્ય અવસ્થામાં ઘણે માર્ગ ઓળંગવાને હોય છે, અને વિવક્ષિત શહેર દેખ્યા પછી શેડો માર્ગ જ ઓળંગવાને રહે છે.
એવી રીતે અહીં પણ એકેનસપ્તતિ ક્રોડા ક્રોડ સાગરોપમ ખપાવે ત્યાં સુધી તે આ જીવને મોક્ષને અનુસરવાવાળે કઈ પણ ગુણ થતું નથી અને છેલ્લા એક ક્રોડાક્રોડ સાગરોપમની સ્થિતિને ખપાવતાં તે સંપૂર્ણ મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. ગુણેને અભાવ જ કર્મનું કારણ તે ઉપર જણાવ્યા પ્રમાણે સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યકચરિત્ર એ ત્રણે ગુણે સંપૂર્ણપણે મેક્ષમાં છે, અને એ ત્રણે ગુણે આત્માના સ્વભાવરૂપ છે, તે પછી તે સમ્યગ્દર્શનાદિ ગુણે કઈ પણ આવરણથી રોકાયેલા છે, એમ માનવું જ જોઈએ, બીજી બાજુ એ સમ્યગ્દર્શનાદિ ગુણે રોકાવાથી આત્માની જરૂર વિકૃત દશા થતી હેવી જ જોઈએ.
કેમ કે જે તે સમ્યગ્દર્શનાદિ આવરવાથી થતી વિકૃતિ ન ગણીયે તે પછી તે દર્શન મેહનીયાદિને ઘાતકમ કહેવાની જરૂર જ ન રહે, અર્થાત્ સમ્યગ્દર્શનઆદિ જે આત્માના ગુણ છે, તેને ઘાત થતાં આત્માની જે મિથ્યાદર્શનયુક્ત આદિ દશા થાય એ, વિકારરૂપ ગણાય અને આત્માની વિકૃતદશા નવા કર્મોને બંધાવનાર થાય તેમાં નવાઈ નથી.
આ કારણથી જ સમ્યગ્દર્શનથી વિપરીત જે મિથ્યાદર્શન એ કબ ધનું કારણ અને સમ્યફચારિત્રનું વિપરીત સ્વરૂપ જે અવિરિતપણે તે કર્મબંધનું કારણ છે,