SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ પુ-૨ ૧૦૯. અર્થ-કામને ઉપદેશ એકાંત અનર્થકર માટે શાસ્ત્રકાર કહે છે કે અર્થ અને કામને ઉપદેશ તે વાંદરાને વીંછી કરડાવ, મૂલ તે કુદાકુદ કરનારે તેની જેવી દશા થાય, તેમ આ જીવ મમત્વ–આરંભ-પરિગ્રહાદિમાં એવી પ્રવૃત્તિ કરી રહેલ છે. જાણે વાંદરે કુદાકુદ કરે. વાંદરાને જંગલમાં કુદવામાં કાંઈ પણ કાયદે, નિયમ કે બંધન નથી, તેમ આ જીવને મમત્વ, વિષય-કષાય, પ્રમાદ, આરંભ-પરિગ્રહ આગળ કાયદે નથી. તે કેઈ કાયદાને નથી ગણતે. દુનિયાના કાયદા ઉપર કાતર મુકાવે. કાપ મુકવે તે કેણ! તે વિષય-કપાયે ને મમત્વભાવ. આરંભ-પરિગ્રહની પ્રવૃત્તિની વ્યાપકતા ચાહે જેવો બુદ્ધિશાળી કાયદા કરે તેના ઉપર કાપ-જેમ “ઊંટ કરે ઢેકા તે માણસ કરે ઠેકા. એસેમ્બલી કાયદા કરે અને ધારાશાસ્ત્રી એનો અર્થ જુદે કરે. ફરી પાછું નક્કી કરવું પડે છે. આ બધું આમ કેમ? આ બધા કરારમાં કાપ ને કાતર મુકાય છે તે કેમ મુકાય છે? પિટસૈયદે કાયદા કર્યા અને અર્થ ફલાણે કહેવું નથી કરતે એમ થાય છે. આટલે વકીલેએ એકરાર કર્યો ને તેમાં કાયદા ઉપર કાતર કાપ મુકાયા તે શાને અંગે? તો આરંભ-પરિગ્રહને અંગે દુનિયા આરંભ-પરિગ્રહ અર્થ-કામ મમત્વ ને વિષયમાં પડી ગયેલી છે. તેથી તે કાયદામાં નથી. માટે વાંદરાની જેમ જેને જેમ ફાવે તેમ કુદી રહી છે. આવી સ્થિતિએ દુનિયા મમત્વભાવે વિષયલાલસાએ કુદી રહી છે. ત્યાં શાસ્ત્રકાર “વખતે આમ કરવું પડે તેમાં અડચણ નથી.” તેમ કહેનાર મળે પછી બાકી શું રહે? વાંદરો વિંછી કરડે ત્યારે વગર સંશયે કુદવા જાય, તેમ મૂલમાં પિતે મમત્વને આધીન અને વિષયની વાસનામાં કુદી રહેલે, તેમાં શાસ્ત્રકાર કહે કે શાબાશ! પછી શું બાકી રહે. ગુને કરનારને અમુક મહિનાની સજા અને ઉશ્કેરણી કરનારને દેશનિકાલની. ગુને
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy