SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ૪-૫ ૩ ૨૦૩ ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા, વતારોપણ, પદપ્રદાનાદિ કાર્યો શ્રુતજ્ઞાનના આલંબનથી થયા છે, શ્રુતજ્ઞાન વિના ઉદ્દેશાદિ કાંઈ થઈ શકતું નથી, આથી શ્રતજ્ઞાન તેજ જ્ઞાન તે રીતિએ જ્ઞાનનાં કીર્તન રૂપ મંગલ કહેવામાં આવ્યું છે. શ્રુતજ્ઞાન તે જ્ઞાનની જાતિ છે, માટે કૃતજ્ઞાનને મંગલ કહ્યું, તેથી પાંચે જ્ઞાન મંગલ રૂપ જાણવા. અત્ર અનુગ આવશ્યકને કહે છે. અનુગ પણ શ્રુતજ્ઞાન છે, તે સંબંધ જણાવવા પ્રસ્તુત અધિકાર તે રૂપે જણાવવા-મંગલરૂપે જણાવવા પાંચ જ્ઞાનને પ્રથમ જણાવવા માટે કહ્યું કે-શાહ , ચારિત હવે તે પાંચ પ્રકારના જ્ઞાનમાં મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન પર્યાવજ્ઞાન તથા કેવલજ્ઞાન, આ ચાર જ્ઞાને સ્થાપ્ય છે, તેથી જ સ્થાપનીય, આને એક તરફ રાખી મૂકવા જેવા છે. સ્થાપ્ય એટલે વ્યવહાર બહારનું માટે સ્થાપી રાખવા યોગ્ય. તે ચાર જ્ઞાનેને વ્યવહાર નથી, વ્યવહારમાં તે જ્ઞાને ઉપકારી નથી, તે જ્ઞાનની લેવડ–દેવડ થઈ શકતી નથી, અને જ્યાં લેવડ–દેવડ ન થાય ત્યાં લક્ષ્ય કેણ આપે? લેવડ–દેવડમાં આવતું જ્ઞાન, વ્યવહારમાં ઉપયોગી જ્ઞાન માત્ર શ્રુતજ્ઞાન જ છે. મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પર્યવ જ્ઞાન તથા કેવલજ્ઞાન તે પિતાના સ્વરૂપને પણ જણાવી શકતા નથી શ્રુતજ્ઞાન તે ચારે જ્ઞાનેનું તથા સ્વયં પિતાનું પણ સ્વરૂપ જણાવે છે. શાસથીજ બધું જણાય છે ને? પ્રશ્ન–પ્રથમ ઉપગ મતિજ્ઞાનથીજ છે ને? ઉપગ મતિજ્ઞાનને પણ પછી મૌન રહે તે વ્યવહાર ચાલે ? વ્યવહાર માટે શબ્દ જ જોઈએ ને! શબ્દ તેજ શ્રુત! શબ્દનું (શ્રુતનું) સાધન ભલે મતિ (જ્ઞાન) હેય તેમાં વાંધો નથી, મતિ તથા શ્રતને વાચવાચકભાવે અર્થ જાણવે. મતિથી થયેલા ઉપગનું નિરૂપણ પણ બોલ્યા વિના થતું જ નથી. મતિજ્ઞાનનું સ્વરૂપ પણ જણાવનાર શ્રુતજ્ઞાન જ છે.
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy