SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત પછી રાજકુમારાદિ જેવા મહદ્ધિક અને શાસનને શોભાવવા સાથે તેને ગુરુને અને તેના મતને શોભાવનાર પુરુષે શ્રેતા તરીકે આવ્યા હોય અને તેવા રાજકુમારાદિ મહદ્ધિકે જ્યારે પિતાના મતમાં દાખલ થવા માગતા હોય ત્યારે અન્ય ઉત્તમ માર્ગે ચાલ નારા મુનિઓની પ્રશંસા કરી, તે મહદ્ધિક રાજકુમારદિકને હંમેશને માટે પિતાથી સંબંધ વગરના કરી, તે ઉત્તમ માર્ગે ચાલનારા મુનિઓની પાસે મોકલવા તે પરોપકારને માટે કેટલે સ્વાર્થને ત્યાગ છે? તે સમજવું મુશ્કેલ નથી. વળી મહદ્ધિક એ રાજકુમાર દેશનાથી ઉત્તમ માર્ગે જવાને માટે તૈયાર થયે હેય તેને તીર્થકર મહારાજે પ્રરૂપેલા સાચા માર્ગે ચાલનારા મહાપુરુષની જ ઉત્તમતા છે” એમ જણાવવા થે પિતાના માર્ગમાં કેઈપણ પ્રકારે ઉત્તમતા નથી” પણ અધમતા જ છે અને તેથી “આ મારે માર્ગ, મારા જેવા પાપી આત્માને માટે જ લાયક છે” એમ સૂચવી મહાપુરુ પાસે ઉત્તમ માર્ગ પ્રહણ કરવાને માટે મોકલે, છતાં તે રાજકુમારની કેઈ તેવી જ ભવિતવ્યતા હવાને જ લીધે તે રાજકુમારને તે ઉત્તમ માર્ગ જેમ કાગડાને દ્રાક્ષ રૂચે નહિ તેવી રીતે રૂચે નહિ, અને તે જ પાછો અધમમાગમાં પ્રવતેલા ઉપદેશક પાસે આવે, અને ભગવાન તીર્થકર મહારાજે નિરૂપણ કરેલ અને ભાવભીરૂ સંવિગ્ન મહાત્માએએ આચરેલે જે માર્ગ તમે જણાવ્યું છે તે મને રૂચ નથી એમ સ્પષ્ટપણે જાહેર કરી તે અધમમાર્ગે રહેલા ઉપદેશકને શિષ્ય થવા પિતાની ઈચ્છા જાહેર કરે, તે વખતે તેવા રાજકુમારની ઈચ્છાને ને અનુસરવું અને લેભ તથા માનની ઈચ્છામાં ન તણાવવું પરંતુ ફરી પણ સ્પષ્ટપણે તે ઉત્તમ માર્ગને લેવા માટે તૈયાર કરવા રાજકુમાર જેવા શેતાની આગળ તે તીર્થકર ભગવાનના માર્ગની અને તેને અનુસરનારા મહામુનિએની જ ઉત્તમતા જાહેર કરવાપૂર્વક પિતાની અધમતા સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરી તે રાજકુમાર શોતાને તેની મરજી વિરૂદ્ધ પણ ઉત્તમ માર્ગનું આચરણ કરવા ઉત્તમ મુનિએ
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy