SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું નથી, પણ મરીચિકુમારે પરિવ્રાજકપણામાં પણ જે સન્માર્ગની દેશના આપી અને જે દેશનાને લીધે તામાંથી ઘણે સારો ભાગ ત્યાગમાર્ગ લેવા તૈયાર થાય છે અને તે પણ ખુદ મરીચિપરિવ્રાજક પાસે જ શિષ્યવૃત્તિ કરી ત્યાગમાર્ગ આચરવા માગે છે, તે દેશના કેટલી બધી ઉત્કૃષ્ટ હોવી જોઈએ? તેને વિચાર કરવાની સાથે એ પણ વિચારવું જોઈએ કે–તેઓ ત્યાગને સન્મુખ થએલા એટલું જ નહિ પણ પોતાની પાસે જ શિષ્ય થવા તૈયાર થએલાની આગળ પિતાથી સર્વથા ભિન્ન વેષવાળા અને આચારવાળાની પ્રશંસા કરવી અને તે એટલા જ માટે કે તે ત્યાગમાર્ગ લેવા માટે તૈયાર થએલે મનુષ્ય કે તેને સમુદાય મારી પાસે શિષ્યવૃત્તિ ન ગ્રહણ કરે પણ આત્માના કલ્યાણમાં કટિબદ્ધ થએલા ઉચ્ચતમ કટિમાં વર્તતા સાચી રીતે ભવસમુદ્રથી તારનારા આ અન્ય મહાત્માઓ જ છે, અને તેઓની પાસે જ આ રોતાવર્ગ જે શિષ્યવૃત્તિ આચરે તે જ તેઓનું કલ્યાણ છે, એવી ધારણા રાખી એ અન્ય મહાત્માઓની પ્રશંસા કરવી જરૂરી ગણી છે. આ ઉપરથી મરીચિપરિવ્રાજકને આત્મા શ્રેતાઓને ભદધિથી તારવારૂપી પોપકાર કરવા માટે કેટલા બધા સ્વાર્થને ભેગ આપે છે, એ સમજવું સામાન્ય મનુષ્યને માટે પણ અશક્ય નથી. સામાન્ય રીતે અન્યની પ્રશંસા કરવા દ્વારા પિતાના સ્વાર્થને ભેગ આપી, પરેપકાર કરે મુશ્કેલ છે, તે પછી પિતાના તાવમાં આગળ પિતાની અધમતા જાહેર કરી, છોતાને ભદધિથી તારવારૂપી પોપકાર માટે કેવળ કટિબદ્ધ રહેવું એ કેટલું બધું મુશ્કેલ છે એ તે દરેક વાચક સહેજે સમજી શકે તેમ છે. મરીચિની મનોદશાનું રહસ્ય સામાન્ય રીતે સામાન્ય તાજને ઉત્તમ માર્ગ ઉપર ચાલનારા મુનિઓની પ્રશંસા કરી, ઉત્તમ મુનિઓની સેવામાં દેરવા અને પોતાની ઉતરતી સ્થિતિ શેતાની પૃછા વગર પણ જાહેર કરી પિતાની સ્થિતિથી વિમુખ કરવા તત્પર રહેવું એ મુશ્કેલ છે, તે
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy