SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું આ બધા પાઠમાં “એકલા નયસારને મુનિને જેગ કેમ મળે? મુનિઓને એકલા નયસારની સાથે જ વાર્તાલાપ કેમ થયો? આહારપાણી પ્રતિલાભવાની તક એકલા નયસારને કેમ મળી નયસાર પોતે જ પિતાની પાસે નેક છતાં માર્ગ દેખાડવા કેમ ગ?” વિગેરે ખુલાસો મેળવી શકાય તે લેખ નથી. છતાં એક સબધિકાના લેખ ઉપરથી આગળ લખવામાં આવેલા નયસારના વિવેચનથી જેમ કેક મનુષ્ય જીભની ચળ ઉતારી લેખનના ગદા માર્યા છે તેવી જ રીતે અહીં સમ્યક્ત્વના. પ્રસંગમાં પણ જીભની ચળ ઉતારે નહિ તેટલા માટે જણાવવું જરૂરી છે કે– કેઈક શાસ્ત્રકાર “આહારપાણના દાન આદિથી સમ્યક્ત્વ થયું” કહે છે, કેઈક “આહારપાણ પછી માર્ગ બતાવવા પહેલાં દીધેલા ઉપદેશથી સમ્યક્ત્વ થયું” કહે છે, વળી “કઈક માર્ગમાં જતાં વચમાં બેસી ધર્મોપદેશ આપે તેથી સમ્યકત્વ થયું” એમ કહે છે, જ્યારે કેટલાક શાસ્ત્રકારો “માર્ગમાં ચાલતાં મુનિઓએ આપેલા ધર્મોપદેશથી નયસારને સમ્યક્ત્વ થયું” એમ કહે છે. નયસારના આત્માની ઉત્તમતા આવા સમ્યક્ત્વની પ્રાપ્તિના વિવિધ લેખમાંથી તવને અંગે કઈ પણ જાતની વિરૂદ્ધતા ન દેખતાં કથાના પ્રસંગમાં વિવિધ પણું બનવું સ્વાભાવિક ગણી “માત્ર માર્ગમાં ચાલતાં ધર્મોપદેશથી સમ્યકત્વ પમાડયું” એ એક જ વાતને અહીં આગળ ઉલ્લેખમાં લીધેલી છે, અને તેથી દાનાદિકના પ્રભાવને અહીં ઉલ્લેખિત નહિ કરતાં માત્ર સુવિહિતશિરોમણિઓની માર્ગમાં ચાલતા પણ દેશના દેવાની નિષિદ્ધ એવી પણ રીતિને અનુસરીને લખાણ કરવામાં આવ્યું છે. ઉપર જણાવેલી નયસારની હકીકતમાં એટલું તે સ્પષ્ટ છે કે શ્રી નયસાર કેઈક તેવા ભાગ્યના ગે જ મુનિઓના સમાગમમાં આવ્યું, તેને દાનબુદ્ધિ જાગી, યથાર્થ રીતિએ દાનવિધિ સાચવ્યું,
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy