SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૪-શું કાર્ય દેવની સહાયથી કરી પવિત્ર બન્યા અને વ્યવહારમાં આવ્યા ત્યારે જ આઠે વ્યવહારીઆએએ અને રાજા શ્રેણિકે પિતાની કન્યા પરણાવી હવે જ્યારે જગતના વહેવારમાં આવેલા મેતાર્ય દેવની આપેલી મુદત પુરી થયે સંયમ અંગીકાર કરે, તેને ચાંડાલ એવા મેતા દીક્ષા લીધી. એમ કહેવું તે ભુલ ભરેલું છે. પણ ચાંડાલમાંથી વ્યવહારીયા બનેલા મેતાયે દીક્ષા લીધી એમ જ કહેવું વ્યાજબી છે. પણ શાસ્ત્ર અને વ્યવહારથી નિરપેક્ષ આત્મા ગમે તેમ બેલે તેને આજના સ્વતંત્રવાદના જમાનામાં રોકી શકવું બહુ મુશ્કેલ છે. આ સંબંધમાં મેતારજ ચરિત્ર જોઈ લેવું. હવે હરિકેશી સંબંધમાં પણ અદશ્ય દેવની જ સહાય છે. અને તે વાત ઉત્તરાધ્યયન સૂત્ર (અધ્યયન ૧૨ હરિકેશી અધ્યયન લેક ૧ કથાની શરૂઆત)માં ચાંડાલ કુળમાં ઉત્પત્તિ પિતાની મેળે જ બોધ થયે, નહીં કે ગુરૂને ઉપદેશ કે ગુરૂને સ્પૃશ્યાસ્પૃશ્ય અને બંધ થવાની સાથે પોતાની મેળે ચારિત્ર અને ચારિત્રમાં દુષ્કરતાની આરાધનાથી દેવનું સાંનિધ્યપણું વિગેરે અધિકાર કલેક ૮ સુધીમાં છે. તેમ જ લેક ૨૧માં સેવામિત્રો ને અર્થ લખતાં જણાવે છે કે દેવતાઓ પણ આવા મહામુનિનું માહાસ્ય અને નિસ્પૃહપણની સ્તવન કરે છે. એટલે ધન્ય છે.” આવા ઉત્તમ પ્રકારના ત્યાગી અને તપસ્વી મહાત્મા હતા એટલું જ નહીં પણ આગળ ચાલતાં લેક ૩૨ માં કવણા ટુ વેચાવ કાતિ યક્ષ દેવતા જેઓની હંમેશાં વૈયાવચ્ચ કરે છે. એટલે દેવતા અધિષિત પુરૂષ અછૂત કહેવાતો નથી. આ ઉપરથી શાસ્ત્રીય એવું મેતાર્યમુનિ અને હરિકેશીનું દષ્ટાંત આગળ ધરીને જેન કુળમાં જન્મેલા આત્માઓ હરિજનને સ્પૃશ્યાસ્પૃશ્યના અધિકારમાં ગોઠવે છે તે અનુચિત છે. પ્રશ્ન ૮-પાંચમા પ્રશ્નોત્તરમાં શાસ્ત્રીય પાઠો મુક્યા છે, તે પાઠ
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy