SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ થ6 આગમત તેવી રીતે આગારવાલા નમુક્કારશી આદિ પચ્ચકખાણ વગરનું સામાયિક માનનાર પણ મૂઢતાવાલે જ ગણાય છે. આ પ્રશ્નોત્તર ૨૧-૨૩ મી ગાથાની ટીકાના આધારે છે. પ્ર. ૧૧ જે કે સામાયિક સુભટ અધ્યવસાય તુલ્ય હોવાથી કાર્ય સિદ્ધિ ને કરવાવાલું છે, છતાં કેક પ્રાણને કાલાંતરે સામાયિકથી પડવાનું સંભવે છે, માટે અપવાદ આગારવાળું સામાયિક કરવું તેજ વ્યાજબી છે. ઉ૦ – સામાયિકના ઉચ્ચારની સાથે મરણ થવાને કે અનશન કરવાને નિશ્ચય નથી તેમજ સામાયિકની ધારણ અને ભવાંતરની થવાવાલી અવિરતિથી બચવા માટે જ્ઞાનાદિ પિષણના મુદ્દાથી દેહ ધારણની જરૂર છે અને પિષણના સાધન વગર દેહ ટક મુશ્કેલ છે, છતાં નિરંકુશ પણ અત્યંત રાગદ્વેષ પૂર્વક થતા વર્તનના ત્યાગ માટે આહાર સંબંધી પ્રત્યાખ્યાનની જરૂરીઆત બાહ્ય વસ્તુના સંગ માત્રને અંગે થતા રાગદ્વેષ ને રોકવા માટે છે તેથી જ તે પચ્ચકખાણની અને તેના આગાની બુદ્ધિ સાલી જરૂરીઆત સ્વીકારે જ છે. સર્વ અશનાદિક વસ્તુમાં સમભાવ પૂર્વક પ્રવૃત્તિ હેવાથી અનાદિક ભેદે લેવામાં આવતું પચ્ચક્ખાણ પણ સામાયિક બાધા કરનાર નથી, એટલે કાત્સર્ગ અને ઈરિયાસમિતિ માં માર્ગ–આલંબન વિગેરે કારણે છે જ. સુભટને મરણ અને જય એ બંને કેઈ કારણથી કેઈક વખત અભાવ થાય તે પણ ભવિષ્યમાં તેવા પ્રસંગે શપશમની વિચિત્રતા હેવાથી તે જ મરણ કે જય સંબંધી ભાવ થાય છે. તેવી રીતે ભવાંતરના ગમનથી સામાયિક અને પચ્ચક્ખાણ બંનેને ચેડા કાલ માટે અભાવ થયા છતાં પણ ભવાંતરમાં તે ક્ષયે પશમ થાય છે, જેથી સામાયિક અને પચ્ચ કખાણને સંપૂર્ણ પણે લાભ થાય છે.
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy