SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ક–જું કેડીભરની પણ મદદ ધમિછો કરતા નથી. આ ઉપરથી એટલું તે નકકી સમજાશે કે શ્રદ્ધાયુક્ત મનુષ્યનું શિક્ષણ તેજ સાચી કેળવણી કહી શકાય અને શ્રદ્ધારહિતેનું શિક્ષણ તે બેટી કેળવણું છે. જ્ઞાન અને અજ્ઞાનની વ્યાખ્યા જેમ વરસાદનું પાણી સામાન્ય રીતે એકરૂપ હોય છે, છતાં જુદા જુદા આશ્રયેને લીધે તેનું પરિણામ જુદું જુદું આવે છે, તેવી જ રીતે અક્કલ અને શાસ્ત્ર સામાન્યથી જ્ઞાનસ્વરૂપ છે, પણ જ્યારે તે અકકલ અને શાસ્ત્ર શ્રદ્ધાવાળા આત્મામાં હોય છે, ત્યારે તે સમ્યગુ. જ્ઞાન તરીકે ગણાય છે અને તેજ અક્કલ અને શાસ્ત્ર અંધશ્રદ્ધાવાળામાં હોય છે, ત્યારે તે જ અજ્ઞાન કહેવાય છે. જૈન શાસનકાએ નીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કાવ્ય, તર્ક, અલંકાર વિગેરે જ્ઞાનેને કેટલીક જગોએ લૌકિક જ્ઞાન જણાવેલ છે, છતાં લકત્તર જ્ઞાનથી તે જ્ઞાનેને ભિન્ન ગણીને કેટલેક સ્થાને શાસ્ત્રકારો તે રાજનીતિ આદિના જ્ઞાનને અજ્ઞાન તરીકે જણાવેલ છે. નંદીસૂત્ર સરખા સૂત્રમાં તે રાજનીતિ વિગેરેના જ્ઞાનને સ્પષ્ટપણે અજ્ઞાન તરીકે ગણવામાં આવે, ત્યારે તે જ્ઞાન સમ્યગદષ્ટિને છોડવા લાયક થાય તેમાં આશ્ચર્ય શું? શાસકારે મેક અori એ વાકય કહીને સ્પષ્ટપણે અજ્ઞાનને ત્યાગ કરવા માટે, તેમાં મદદગાર નહિ થવા માટે, અને તેને સારુ નહિ ગણવા માટે જણાવે છે, તે પછી ક ભવ્ય જીવ મહાપુરૂષના વચનને ઓલંગીને પિતાની મતિકલ્પનાથી તેવા જ્ઞાનને પિષણ કરવા તૈયાર થશે? પાપત અજ્ઞાનરૂપ છે આ સ્થળે યાદ રાખવું જરૂરી છે કે તિષાદિક જ્ઞાનને શાસ્ત્ર કાએ પાપકૃત તરીકે ગણાવેલાં છે અને તેમાં ધર્મ કે સારાપણું
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy