SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૨-જુ કલ્યાણનું લક્ષ્ય વિચલિત થઈ જાય. અને પુણ્ય બંધાઈ જાય તે વાત જુદી ! પણ પુણ્યબંધને ઉદેશ નહીં. એટલે પરચ૦થી આચારશુદ્ધિનું લક્ષ્ય મુખ્ય રાખવું જરૂરી , પચ્ચ૦ લીધા પછી તે અસ્મલિત-અખંડિત અને અબાધિત રૂપે ટકયું રહે તે માટે આચારશુદ્ધિ જરૂરી છે. આચારશુદ્ધિ માટે અનાચારનો ત્યાગ જરૂરી છે અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે-આચારશુદ્ધિના લક્ષ્યની સફળતા અનાચારના ત્યાગ સાથે સંકળાયેલી છે. અનાચારના ત્યાગ સિવાય આચારનું પાલન એગ્ય રીતે થઈ ન શકે. તેથી આચારશુદ્ધિ મેળવવા ઈચ્છતા પુણ્યાત્માએ અનાચારને યથાશક્ય પરિહાર કરવા ઉપગ રાખ જોઈએ. આમ છતાં આચારનું પાલન જેમ અનાચારના ત્યાગ વિના સંભવિત નથી, તેમ અનાચારને ત્યાગ પણ આચારના પાલનની તત્પરતા વિના શક્ય નથી. આ રીતે બને વાત પરસ્પર સાપેક્ષ છે. આ કારણે આ (પાંચમા) અધ્યયનનું નામ “આચારા-નાચાર શ્રુત” પણ પૂર્વે વિચારાઈ ગયું છે. અનાચાર ત્યાગની સાપેક્ષ મહત્તા ખરી રીતે વિચારતાં એમ સમજી શકાય છે કે-આચાર એ કવાના છાંયડા જે , ભલેને ૭૦ હાથ ઉડે કૂ હોય, પણ તેને છાંયડો નાના ગલુડીયાને પણ તાપથી બચવા માટે ઉપયોગી ન થાય. જ્યારે અનાચારને ત્યાગ એ પાંચ-સાત હાથ ઊંચા ઝાડના છાંયડા જે છે. કે જેની નીચે તાપમાં બન્યા-ઝન્યાને થેડીક શાંતિ મળે છે. ભલે ને પછી કેરડાના ઝાડને છાંયડો હોય. • આ ઉપરથી એમ ફલિત થાય કે અનાચારના ત્યાગની મહત્તા વધુ છે, તેના ઉપર આચારશુદ્ધિનું સાપેક્ષ મહત્ત્વ છે, એટલે અનાચારનો ત્યાગ રૂ૫ પચ્ચેના આધારે જ્ઞાન, માન્યતા, આચારશુદ્ધિ
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy