SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું તીર્થકરે જન્મથી અને વિશેષે કરી કેવળી થયા પછી જીના હિતમાં જ પ્રવૃત્તિ કરે છે. ઉપર જણાવ્યા પ્રમાણે જે વિવેકનાથ જિનેશ્વર ભગવાન બીજાના ઉપકાર તળે જન્મથી પણ આવેલા જ નથી તે ભગવાન તીર્થકર કેવળજ્ઞાન પામીને કૃતાર્થ થયા છતાં સૂર્યોદયની માફક તીર્થ પ્રવર્તન કરી સ્વભાવથી જ જગતના હિતને માટે પ્રવર્તે છે. આજ કારણથી ઈષ્ટપ્રાપ્તિ અને અનિષ્ટ નિવારણરૂપ ફળને ઉદેશીને તીર્થકર ભગવાનને પ્રવૃત્તિ નિવૃત્તિને ઉપદેશ છતાં ઘણી જગે પર તે ઈષ્ટપ્રાપ્તિ અને અનિષ્ટ-નિવારણરૂપ ફળ જણાવ્યા વિના પણ ભગવાન તીર્થંકર મહારાજના વચનમાત્રથી જ પ્રવૃત્તિ નિવૃત્તિ કરવી એ સમ્યગ્દષ્ટિએનું જરૂરી કર્તવ્ય રૂપે જણાવ્યું છે. અથત ઈષ્ટપ્રાપ્તિ અને અનિષ્ટ નિવારણ રૂપે જણાવેલું ફળ સમ્યગ્દષ્ટિ જીના શ્રવણની અપેક્ષાએ માત્ર અનુવાદરૂપ જ છે, વિધેય તરીકે તે પ્રવૃત્તિ નિવૃત્તિમાં મુખ્ય હેતુ માત્ર જિનકથિતપણાને જ છે, અને તેથી જ જૈન સિદ્ધાતિમાં દરેક પ્રવૃત્તિનિવૃત્તિના ફળે બતાવવામાં આવેલાં નથી, પણ માત્ર જિનાજ્ઞા તરીકે જ કર્તવ્યદશા માનવામાં આવેલી છે, આ હેતુથી આપણે આગળ પણ જોઈશું કે જિનેશ્વર ભગવાનનું કે તેમની પ્રતિમાનું સ્નાત્રાદિક દ્વારા કરાતું પૂજન ફક્ત જિનેશ્વર મહારાજાઓએ કરવા લાયક કહ્યું છે, એ વિચારવાળી સદૂભક્તિવાળું હેઈ ગ્ય પૂજન કહેવાય છે. - વળી ભગવાન જિનેશ્વર મહારાજના કે તેમની પ્રતિમાને સ્નાત્રાદિક દ્વારા કરાતી શુદ્ધ ભક્તિથી કરાતા પૂજનનું બારમા (અયુત) દેવલોક સુધીની પ્રાપ્તિરૂપી ફળ બતાવવામાં આવે છે, તે પણ તે દેવલોકની પ્રાપ્તિરૂપી ફળને ઉદ્દેશીને કેઈપણ સમ્યગ્દષ્ટિ પૂજન કરતે નથી અને છતાં કેઈ કરે તે તેવા પૂજનને યથાસ્થિત પૂજન કહેવાતું નથી. તેવા પૂજનને અપ્રધાન પૂજન જ કહેવું પડે, અર્થાત
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy