SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦. આગમોત સદ્દગુરુ માનવા છતાં પણ તે માનનારનું સમ્યક્ત્વ અવિચલ ગણાય છે, પણ મિથ્યાત્વગુણઠાણું ગણાતું નથી તે બધે પ્રભાવ આ વ્યતિરિકતનિક્ષેપાને જ છે. છાવસ્થિક વ્યવહારની પ્રબળતા. એવી જ રીતે જે સાધુઓની પ્રથમ વડી દીક્ષાઓ થઈ છે, અને તેઓ ભાવપરિણતિએ ઉતરતા હોય, અને તેમના પછી કાલાંતરે જેમની વડી દીક્ષા થઈ છે, તેઓ સાધુપણાની ભાવપરિણતિએ ઘણું જ શુદ્ધ હોય તે પણ તે પાછળના ઉપસ્થિતેને પૂર્વના ઉપસ્થિતોને વંદન કરતાં, ગુણહીનને વંદન કર્યાને દેષ લાગતું નથી, તેમ જ પૂર્વકાળે ઉપસ્થિત એવા હીન પરિણતિવાળાઓને કાલાંતરે ઉપસ્થિત અધિક ગુણવાળાઓને વંદન કરાવતાં ગુણની આશાતના પણ લાગતી નથી. આ બધું સામર્થ્ય વ્યતિરિકનિક્ષેપાનું જ છે, આ કારણથી શાસ્ત્રકારે વ્યવહારને બલવત્તર જણાવે છે. જે આ વ્યતિરિક્તનિક્ષેપાની આટલી બધી શક્તિ માનવામાં ન આવે તે શાસનની પ્રવૃત્તિને ઉછેદ જ થઇ જાય. કેમકે છસ્થ જીને પિતે વંદક હોય કે વંઘ હોય તે પણ કઈ પરિણતિ અને કયા સંયમસ્થાનમાં છે એને નિશ્ચય થઈ શકે નહિ, અને તેથી છઘસ્થાને પરસ્પર વંઘવંદકભાવ પ્રવર્તી શકે નહિ. જોકે જ્ઞાનગુણની અધિકતા પરસ્પરના વાચના, પૃચ્છનાદિ કે પ્રશ્ન વ્યાકરણદિના પ્રસંગથી જાણી શકાય, તે પણ દર્શનગુણને કે જ્ઞાનાદિ ગુણના સમ્યક્રપણને નિર્ણય કે તેના ન્યૂનાવિકપણાને નિશ્ચય છદ્મસ્થ કરી શકતો નથી. કથંચિત તેને નિશ્ચય કરે શક્ય માનવામાં આવે તે પણ ભાવચારિત્રની પરિણતિ અને તેના ન્યૂનાધિકપણાને નિશ્ચય તે છઘસ્થાને માટે અશક્ય જ છે. આ વ્યતિરિક્તનિક્ષેપાને આધારે થતા છાઘસ્થિક વ્યવહારની પ્રબળતા છે એટલું જ નહિ, પણ અધિક પર્યાયવાળા સકષાયી પ્રમત્તા
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy