SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક વુિં ૧૭ આ બધી હકીકત વિચારતાં ભાવ તરીકે વિવક્ષિત વસ્તુને કારણ તરીકે ગણાતા દ્રવ્ય નિક્ષેપોમાં ચેતના રહિત હેવાથી તે ભાવવસ્તુને જાણનારના શરીર ને જ્ઞશરીર કહેવામાં આવે છે તે ઉપયોગી છે એમ સ્પષ્ટ માલમ પડે છે. જ્ઞશરીરને પહેલું લેવાનું કારણ કે જ્ઞ એટલે જાણકારનું શરીર ચેતનારહિત છે અને કેઈપણ પ્રકારના સમ્યગદર્શનાદિ ગુણે તે શરીરમાં હતા નથી અને તેથી આરોપની અપેક્ષાએ કે કારણની અપેક્ષાએ તેને નિક્ષેપોમાં ઉપયોગી તરીકે ગણવામાં આવે છે તે પણ ગુણસ્મરણ કરીને આરાધના કરનાર મનુષ્યને પરિચિત શરીર જેવાથી ગુણવાન પુરુષ વિદ્યમાન હોય અને જેવી ભાવના આવે તેવી જ ભાવના ઉપજવાની સાથે અનિત્ય ભાવ અને આશ્ચર્યભાવની અનુભૂતિ થાય છે એટલું જ નહિ પણ જે સ્થાને તે મહાપુરુષનું શરીર રહ્યું હોય છે તે સ્થાનને પણ આરાધકપુરુષ પૂજ્ય તરીકે ગણે છે. એ જ કારણથી જ્યાં તીર્થંકરાદિ મહાપુરુષે મેક્ષે જતાં શરીરને છેડી ગયા હોય છે, તે શિલા પહાડ આદિ સ્થાનેને પણ શાસ્ત્રકારે સિદ્ધશિલાતલ તરીકે ગણે છે. શાસ્ત્રોને જાણનાર હરેક કોઈ સમજી શકે છે કે યથાર્થ આરોપરહિતપણે સિદ્ધશિલા તીચ્છ લેકથી કંઈક ન્યૂન સાતરાજ ઉર્વકમાં છે, તેથી તે સિદ્ધશિલાને સંભવ તિર્થંકલેકમાં કઈપણ પ્રકારે બની. શકે તેમ નથી, તેથી સિદ્ધશિલાને તિર્યફલેકમાં સંભવ નથી તે પછી સિદ્ધશિલા ઉપર અણુશણ કરી સાધુનું આરાધકપણું તે સંભવે જ ક્યાંથી ? અને આરાધક સાધુને સદ્ભાવ તિર્થંકલેક અને અઢી દ્વીપ સિવાય બને જ નહિ, તે પછી સિદ્ધશિલાતલમાં રહેલા આરાધક સાધુના નિજીવ શરીરને દેખવાનું અને તેને લીધે ભાવના, અનુકંપા. અને આશ્ચર્ય ઉત્પન્ન થવાનું થાય જ ક્યાંથી? શાસ્ત્રકારોએ તે શ્રી અનુગદ્વારસૂત્રમાં “સિદ્ધશિલાતલમાં રહેલા આરાધક મહાત્માના શરીરને દેખવાથી ભક્તિ, અનુકંપા અને
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy