SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત દ્રવ્યથકી આગમનંદી લૌકિક અપેક્ષાએ ગણાય એમાં આશ્ચર્ય નથી. દ્રવ્યમાં આગમભેદની તથા તેના પેટા ભેદની જરૂર કેઈપણ વસ્તુના નિક્ષેપ કરતાં તેના અભિધાનને અંગે નામનિક્ષેપ, આકારને અંગે સ્થાપના નિક્ષેપ કર્યા પછી ભાવના કારણ તરીકે કે અપ્રધાનપણું તરીકે કે જાણતે હેય પણ અનુપયેગી હેય તે અપેક્ષાએ આગમથી દ્રવ્ય નિક્ષેપ તે તે વસ્તુના સ્વરૂપને સમજનાર મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકે છે. પરંતુ ખુદ તે વસ્તુની અપેક્ષાએ જ્યારે દ્રવ્યપણાનો વિચાર કરીએ તે વસ્તુનું ભૂત અને ભવિષ્યનું સ્વરૂપ વિચારવું જોઈએ. તેમજ તે વસ્તુની ઉત્પત્તિ થવાનાં કારણે તપાસવાં જોઈએ અને જગતના તે રૂપે અને તે નામે કહેવાતા પદાર્થોને વિચાર કરે જોઈએ, અને તે સર્વ વિચાર દ્રવ્યથી ને આગમના ભેદમાં જ કરી શકાય, કારણ કે પૂર્વકાળ અને ભવિષ્યકાળના જે પર્યાય થયા હોય કે થવાના હોય તે પર્યાની વિદ્યમાનતા હોય તે તે પદાર્થને દ્રવ્યરૂપન ગણી શકીએ પણ ભાવરૂપ જ ગણ પડે. અર્થાત્ દ્રવ્યપણાની વખતે ભૂત ભવિષ્યના પર્યાયે ન હોય પણ પૂર્વકાળે થઈ ગયા હોય કે ભવિષ્યકાળ થવાના હોય અને તેથી જ તેને દ્રવ્ય તરીકે કહેવું પડે. આ ઉપરથી ભૂતકાળે થયેલા પર્યાની અપેક્ષાએ એક ભેદ અને ભવિષ્યકાળ થવાના પર્યાની અપેક્ષાએ બીજો ભેદ ગણીને શાસ્ત્રોમાં જણાવાયેલ જ્ઞશરીર ભવ્ય શરીર તે ભેદની સંગતિ જરૂર સમજાશે. દ્રવ્ય શબદના કારણ અર્થની સંગતિ - જે વસ્તુ જે પર્યાયના આવવાથી ભાવરૂપે ગણી શકાય છે તે વસ્તુ પૂર્વની વ્યાવહારિક અવસ્થાને છેડી દે અને વિવક્ષિત ભાવઅવસ્થાને ન પામે તે વખતે તે વસ્તુને સામાન્ય દષ્ટિથી ભાવની સમીપતાની અપેક્ષાએ જ્યારે કારણ તરીકે માની દ્રવ્યપણે માનવી પડે તે તે વિવક્ષિત ભાવ સિવાયના બીજા પર્યાયે છતાં પણ
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy