SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક –જું ચેકીદારના દષ્ટાતે અધ્યકના નામને વિચાર જેમ રોકીદારે રાત્રે બાર કે બે વાગે રેન મારવા નિકળે ત્યારે જાગતા રેજે.ની તેની બૂમ આપણે ઉંઘમાં ગાફિલ થઈ આપણી મિલ્કતને ગુમાવી ન બેસીએ તેથી ઉંઘ ઉડાડવા માટે છે, તે રીતે આ અધ્યયન આત્મગુણરૂપ તપધર્મને વિકસાવનાર પચ્ચાની ક્રિયાને વ્યવસ્થિત રીતે ટકાવવા માટે અનાચારને ત્યાગ કરવાની વાત રજુ કરી આપણું મેહનિદ્રા હઠાવનાર છે. આચારશ્રુત-અનાચારશુત બને નામની સાર્થકતા પહેલાં આ અધ્યયનનું નામ આચામૃત જણાવેલ, હવે અહીં અનાચારશ્રુત બતાવાય છે. આ ઉપરથી સમજણમાં ગોટાળે થવા સંભવ છે કે ખરેખર શું નામ છે? પણ પ્રથમ જણાવી ગયા તે પ્રમાણે વિવક્ષાભેદથી બને નામ ઉપયોગી છે. કેમકે–પચ્ચની પ્રાપ્તિ માટે આચારનું પાલન જરૂરી, તેમાં લીધેલ પચ્ચ.ને અખંડિત—અખ્ખલિત રાખવા માટે અનાચારને ત્યાગ પણ જરૂરી છે. એટલે આ અધ્યયનમાં સ્થાને સ્થાને આચારપાલન અને અનાચાર વર્જન બન્નેની યેગ્ય ઘટના કરી છે. આચાર પાલન-અનાચાર ત્યાગનું સાપેક્ષ મહત્વ ખરી રીતે વિચારીએ તે પ્રત્યેક સિદ્ધાંતને અમલમાં ઉતારવા માટે આ બન્ને ચીજ જરૂરી છે. જેમકે “જોઈને ચાલવું જેથી જીવ મરે નહીં, વિચારીને બેસવું જેથી દેષ ન લાગે આમાં જઈને ચાલવાની અને વિચારીને બોલવાની વાત આચાર પાલન રૂપ છે, પણ જીવ ન મરવાની વાત અને દેષ ન લાગવાની વાત અનાચાર વજનરૂપ છે. આ રીતે આ અધ્યયનમાં પ્રસંગે પ્રસંગે એક બીજાને પૂરક તરીકે આચાર અને અનાચાર બન્નેનું સ્વરૂપ ફૂલગુંથણીએ જણાવાશે.
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy