________________
૩૪.
આગમત મેળવીને સંતોષ માને, પણ ખરેખર તે યાત્રાની સફળતા ક્યારે! દાદાના ભાવથી દર્શન કરાય ત્યારે ને?
આ રીતે “લે બાપજી! કરાવે પચ્ચખાણુ” એમ કહી પચ્ચ. લઈ લીધા પછી યથાયોગ્ય અનાચાર-વજનની મર્યાદા ન જળવાય તે શાબ્દિક સંતેષ ભલે રહે! પણ ખરેખર આત્મવંચના જ થાય! પચ્ચટની અખલિતતા માટે અનાચાર ત્યાગ જરૂરી
પચ્ચ. લીધા પછી અનાચારને ત્યાગ કરવામાં ન આવે તે પચ્ચ. અખલિત ન બને, કેમકે પચ્ચ. લીધા પછી જ્ઞાનાચાર, દશનાચાર અને ચારિત્રાચારના અતિચારોનું વજન પચ્ચ.ને અખલિત બનાવે છે.
પચ્ચ. લીધા પછી તેને જાળવવાની દરકાર ન રહે કે પચ્ચાની જવાબદારી ન સમજાય તો પચ્ચ. માત્ર લેવા પુરતું જ રહે, વ્યવસ્થિત પાલન શક્ય ન બને.
પણ પચ્ચ. લીધા પછી તેની દરકાર કરનાર અખલિતપણે તેનું પાલન કરી શકે છે. ઉચ્ચ આદર્શની આવશ્યકતા
વ્યવહારમાં એવું દેખાય છે કે ઉંચે ચઢનાર મનુષ્ય અવળીઉધી (નીચી) દષ્ટિ રાખી ન શકે, ઉચે દષ્ટિ રાખે તે જ ચઢી શકે,
જ્યારે નીચે ઉતરનારે નીચી દષ્ટિ રાખી જેમ ઉતરે છે તેમ ઉંચીઅવળી દષ્ટિ રાખીને પણ ઉતરી શકે.
આ રીતે આત્મશુદ્ધિના પંથે ચાલનારાએ હંમેશાં ઉચ્ચ આદર્શોઆલંબને સામે રાખવા જોઈએ. આ રીતે જ આત્મા ગુણેની પ્રાપ્તિ–વૃદ્ધિ કરી શકે. લક્ષ્ય-શુદ્ધિમાં શ્રીયક મુનિનું દષ્ટાંત
જુઓ ! શ્રી સ્થૂલભદ્ર મહામુનિના નાના ભાઈ શ્રીયમુનિ રોજ નવકારશીનું પચ્ચ. કરતા, પિરિસી પણ ક્યારેય કરી શકતા નહી. પર્વાધિરાજની આરાધનાના ટાણે પણ નવકારશીથી આગળ ન