SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૨-જુ પચ્ચ. નું મૌલિક સ્વરૂપ જેને મહાવ્રતને પાપને કિનાર તરીકે આશ્રવનિરોધ રૂપ સંવરરૂપે–માને છે, જ્યારે અન્ય દર્શનીએ નિયમ, કુશલધર્મ, શિક્ષા આદિને પુણ્ય તરીકે માને છે. સારી પ્રવૃત્તિ છે, એમ ધારીને તેનું મહત્વ સ્વીકારતા હોય છે. એટલે પાયામાં જ સ્વરૂપને ભેદ થઈ ગયે. જેનેએ મહાવતેને આત્મધર્મ સ્વરૂપ સંવરના સાધનરૂપ માન્યા, જ્યારે અન્યદશનીઓએ નિયમે, કુશળધર્મ કે શિક્ષા આદિરૂપે પ્રશસ્ત અનુષ્ઠાનશુભ-ક્રિયારૂપ માનેલ છે. તેથી “કરાય તે સારૂં” એ ભાવના અન્યદર્શનીઓના માનસમાં નિયમ, કુશળધર્મ કે શિક્ષા આદિના પાલન માટે હેય, પણ અવશ્ય કરણીયતા નહીં કે “નહીં કરીએ તે મહાન અનર્થ થશે” એમ પણ નહીં. જેનેને મન તે એ વિચારણા હેાય કે– મહાવ્રતનું પાલન ન કરાય તે મહાન અનર્થ કે અવિરતિના ફંદામાંથી છુટાય જ નહીં અને અવિરતિ એટલે આત્માને મલિન કરનાર કર્મના કચરાને આવવા માટે રાજમાર્ગ, તે બંધ ન થાય તે મારા આત્માને ઉદ્ધાર જ શી રીતે થાય?” ઉપસંહાર આ બધી વાત ચોથા અધ્યયનમાં પચ્ચકખાણના અધિકારમાં વિચારી ગયા છીએ. હવે આ જાતના સંવરના વિશિષ્ટ લક્ષ્યવાળા પરચકખાણને મેળવી કેણ શકે? તે જણાવવા પચ્ચકખાણના અધિકારીનું સ્વરૂપ આ (પાંચમા) અધ્યયનમાં વિચારીએ છીએ. પચ્ચ.ની પ્રાપ્તિ માટે અધિકારિતાની જરૂર બજારમાં બધી ચીજો મળે છે પણ મેળવી કોણ શકે? જેના
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy