SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત વાને નિરૂપણ કરેલા મોક્ષમાર્ગને આધારે જ સિદ્ધોને સિદ્ધિની પ્રાપ્તિ થઈ છે, માટે સિદ્ધભગવાનને અરિહંત મહારાજશ્રી પછી પંચપરમેષ્ટિમાં દાખલ કરેલા છે. એ અરિહંત અને સિદ્ધ મહારાજ શિવાયના આચાર્ય, ઉપાધ્યાય અને સાધુમહાત્માઓને ક્રમ પાછલ અને ક્રમસર આવે તેમાં આશ્ચર્ય નથી. ભગવંત અરિહંત મહારાજે દેખાડેલા મોક્ષમાર્ગના નાયક તરીકે આચાર્ય મહારાજા પંચાચાર દેખાડનાર છે. ભગવાન જિનેશ્વરેના કથન શિવાય સ્વતંત્ર રીતે આચાર્યો બેલે નહિં અને જે કઈ પણ ભગવાન જિનેશ્વરમહારાજાના વચનને અનુસર્યા શિવાય કે વિરૂદ્ધ પણે બેલે તે તેને જૈનશાસનને માનનારાઓ અધમ પુરૂષ તરીકે જ માને. એમ શંકા ન કરવી કે આચાર્ય ભગવાનનું કાર્ય તે અર્થ કહેવાનું જ છે અને અહીં આચારના દેશક કેમ કહ્યા? એવી શંકા નહી કરવાનું કારણ કે આચાર્ય ભગવંતે અર્થ થકી તીર્થકર મહારાજે અને સૂત્ર થકી ગણધર મહારાજે ફરમાવેલ પ્રવચનના અર્થોનું કથન કરે, પણ તે કથનમાં આચાર્ય ભગવંતનું ધ્યેય જ્ઞાનાચારઆદિક પાંચ આચારની પ્રવૃત્તિનું જ હોય. આ વાતને બરાબર સમજવાથી એ પણ સ્પષ્ટ સમજાશે કે આચાર્ય મહારાજાઓ સામાન્ય રીતે દરેક સૂત્રના ઉદ્દેશ અને સમુદેશ અને અનુજ્ઞા થયા પછી જ અનુગરૂપે અર્થને કેમ આપે છે. તથા પ્રવજ્યાને અંગીકાર પછી મહાવતેનું ઉપસ્થાપન થયા છતાં પણ આચાર પ્રકલ્પઆદિ માટે કેમ પર્યાય જેવા પડે છે? તેને ખુલાસે સ્પષ્ટ થશે, વળી બૃહત્ક૯૫આદિ છેઝોને વંચાવવામાં તે શું? પણ સંભળાવવામાં પણ પરિણામકપણું જોવાની કેમ જરૂર પડે છે ? તેમાં શું કારણ છે? એ સમજાશે. કારણ કે આચાર્ય મહારાજ અનુગ એટલે અર્થની જે વ્યા
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy