SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ પુસ્તક ૩-જુ મિત્રો ચા વિશેજાદૂસંભવ કે વ્યભિચાર અર્થે લાગુ પડતું હોય ત્યાં હંમેશાં વિશેષણ જોડાય પણ તે અર્થ જ્યાં ન હોય ત્યાં વિશેષણ જોડાતું નથી. તેથી મન:પર્યવ કે કેવળ જ્ઞાનમાં તે અર્થે લાગુ પડતા નથી. વાસ્તે વિશેષણ જેડયું નથી. માટે તેવી શંકા કરનાર અજ્ઞાની જ સમજવા, પતિવ્રતા સ્ત્રી પરપુરુષને અંગે આ પુરૂષ તે છે ને એ વિચાર પણ ન કરે તેમ. આ પાછળના બને જ્ઞાને તે સમ્યકત્વી સિવાય બીજાને હોય જ નહિ (વરે જ નહિં). હજુ પેલા ત્રણ જ્ઞાને તે મિશ્ર સમકિતી આશ્રયી મિશ્રભાવપણું પણ પામે પણ છેલ્લા આ બે જ્ઞાનમાં તેમ પણ નથી. કારણ કે-પુરૂષ અથવા સ્ત્રી બન્નેને કેણ ઇચ્છે? નપુંસકમાટે તે મિશ્રભાવપણું પણ મન:પર્યવ કે કેવળજ્ઞાન પામે નહિં, તત્વાર્થસૂત્રમાં પણ તે માટે કીધું છે કે અતિશુતાધિથોવિપર્યય (તસ્વાર્થ અ. ૧ ૩૨) આ ત્રણ જ્ઞાન વિપરીત ભાવપણાને પામે છે પણ છેલ્લા બે જ્ઞાને પામતા નથી. આવી રીતે પાંચ જ્ઞાન બતાવ્યા છે, તેને આવરણ કરનાર જ્ઞાનાવરણીય પણ પાંચ ભેદે જાણવું. મતિજ્ઞાનના ભેદે પ્રશ્ન-મતિજ્ઞાનના ભેદ કેટલા? ઉત્તર-તેના ભેદ ઘણા પ્રકારે વર્ણવ્યા છે, તેમાં મુખ્ય ભેદ તે વસ્તુની અપેક્ષાએ સમજવાને પેટા ભેદે સર્વની અપેક્ષાએ જાણવા અવગ્રહ-ઈહા–અપાય ને ધારણ ચાર મુખ્ય ભેદ છે ને તેના પેટા ભેદ-૨૮+૪ બુદ્ધિ મેળવતતાં-૩૨ તે ૨૮ ના બહુ આદિક ગણતાં ૩૩૬ને તેમાં ૪ બુદ્ધિ ભેળવતાં ૩૪૦ ભેદ થાય. મુખ્ય ભેદને વિચાર સમજી લે, એટલે પેટભેદ સમજી શકાશે. વિષય પ્રાપ્ત થતાનું જ્ઞાન તે અવગ્રહ-ઉભયકેટિ પરામર્શરૂપ જ્ઞાન તે હા–નિર્ણત થવું તે અપાય–ને ધારી રાખવું તે ધારણ આમાં અવયવ્યતિરેક પૂર્વક નિરાકરણ કરવાનું જ્ઞાન ઈહા કહેવાય છે.
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy