SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩જું ભીંત આખી તૂટી ગઈ તે વખતે બકેરું તૂટી ગયું તેમ નહીં કહેવાય. પણ ભીંત તૂટી ગઈ તેમ જ કહેવાશે. ત્યારે શું બાકે પુરાઈ ગયું? ના તેમ પણ નહિં ત્યારે કહે કે બાકેરું ભીંતમાં સમાઈ ગયું. તેવી જ રીતે ક્ષાપશમિક ભાવે થતું જે મતિજ્ઞાન તે ક્ષાયિક ભાવે થતા કેવળજ્ઞાનમાં સમાઈ જાય ગયું તેમ કહેવાય. કેવલીઓ અતીન્દ્રિય હોય છે જે તારાઓ રાત્રિએ ઝગમગે છે તે જ તારાઓ સૂર્યોદય પ્રકાશ કરતા નથી તેથી તે ચાલ્યા ગયા તેમ નથી કહેવાતું પરંતુ સૂર્યના તેજમાં સમાઈ ગયા–તેમ સૂર્ય સમાન કેવળજ્ઞાનમાં તારા સમાન મતિજ્ઞાનને પ્રકાશ સમાઈ જાય છે. તેથી અંધારું હોય ત્યાં જ તારા-ગ્રહ આદિને પ્રકાશ હોય છે પણ સૂર્યોદયે ન હોય–તેમ–કેવળના ઉદયે મતિજ્ઞાનને પ્રકાશ ન હોય. તેના અભાવે જ મતિ આદિ જ્ઞાન હોય છે. તે જ્ઞાને કેવળજ્ઞાન થતી વખતે અવરાતા નથી પરંતુ તે થતી વખતે મતિ આદિ જ્ઞાનની જરૂર પડતી નથી તેથી જ શાસ્ત્રકારોએ કીધું કે- તરિયા જિનો-તેમને ઈંદ્રિય છે પરંતુ ઈંદ્રિયેથી તેમને જ્ઞાન થતું નથી. માત્ર આત્મદ્વારાએ તેઓને જ્ઞાન થાય છે. કેવલીને મતિજ્ઞાનની જરૂર શી? દુનિયામાં કહેવત છે કે-હાથ કંકણને આરીસાની જરૂર ન હોય અગાઉ હાથકંકણ એવા આવતા કે તેમાં કાચ જડેલા આવતા. તેથી આરીસાનું કામ તેથી થઈ શકતું. તેથી પ્રતિબીબની ગરજ તેઓ સારતા–તેમ કેવળજ્ઞાન સાક્ષાત્ પદાર્થને દેખાડે ત્યાં ઈદ્રિ તથા મનની જરૂર આત્માને રહેતી નથી. ચક્ષુ સીધી નાક ઉપર ન જાય ત્યારે આરીસાની જરૂર પડે તેમ કેવળરૂપી ચક્ષુથી પદાર્થ દેખાય ત્યારે ઈકિયે તથા મનને આશ્રય કેણ લે અર્થાત્ ન જ લે. સમવસરણમાં પણ કેવલી ભગવંત જ્યારે બીરાજમાન થાય ત્યારે તેમની સન્મુખ-સુગંધી વાયર, સુરભિ ગધે, ઇંદ્રિ-ઇંદ્રિાણીનું નાટક
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy