SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ પુસ્તક ૨-જુ તેથી આચારની વ્યવસ્થા પચ્ચ૦ની પૂર્વાવસ્થામાં કે ઉત્તરાવસ્થામાં! બધે એક સરખી તેની ઉપયોગિતા છે! પચ્ચની પૂર્વાવસ્થામાં આચારની વ્યવસ્થા જેમ ઉપગી છે, તેમ પચ્ચ૦ કર્યા પછી પણ પાપની જુગુપ્સા માટે પાપથી દૂર રહેવા માટે પણ આચારની વ્યવસ્થા જરૂરી છે. આ રીતે પચ૦ની ક્રિયામાં અત્યંત જરૂરી આચારની વ્યવસ્થા અત્યંત મહત્વની બાબત છે, તેનું સ્વરૂપ આ પાંચમા અધ્યયનમાં જણાવાય છે, તેથી જ આ અધ્યયનનું આચારયુત એવું નામ સાર્થક અને વ્યાજબી છે. આચારકૃત નામની સાર્થકતા શી રીતે? અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે-“સાહેબ ! આચારની વ્યવસ્થાથી પચ્ચ૦ની ક્રિયા ઉપજે છે, તે આચાર એ આત્માને સ્વભાવ જ છે ને ! આચાર એ કંઈ બહારની ચીજ નથી, તે તે સત્તાગત આત્માની મૌલિક ચીજ છે, તે તેની પ્રાપ્તિ કરવાની શી છે? આચારત આ નામ આ અધ્યયનનું સંગત શી રીતે? “જેનાથી આચારની પ્રાપ્તિ થાય તે વિગત જણાવનારું આ અધ્યયન આ અર્થ શી રીતે સંગત થાય? - આચાર એ તે આત્માની મૌલિક ચીજ છે! તેને પ્રાપ્ત કરવાનું શું? માટે અધ્યયનનું નામ ફેર! અનાચાર શ્રત રાખો ! એટલે જેનાથી અનાચારથી આત્મા વિરમ=પાછો ફરે, અનાચારથી વિરમવું એ સ્વતઃ આચારની પ્રાપ્તિ રૂપ છે!” આચાર આત્મસ્વભાવરૂપ છતાં પચ્ચરની જરૂર અહીં શીલાંકાચાર્ય મહારાજ જણાવે છે કે-આચાર એ આત્માને સ્વભાવ, આત્માના ગુણરૂપ તે આચાર પ્રગટ થાય અને પચ્ચ૦ની ક્રિયા ઉપજે, ટકે કે વધે, એટલે પછી અનાચાર અધ્યયન એવું નામ આપવાની શી જરૂર! કેમકે મિત ઘરમાં આવ્યા પછી તેને ચાર-ધાડપાડુ આદિથી સાચવવાની હોય ગણવાની હોય પણ ગણવાની કંઈ જરૂર નથી, તેમ અહીં આત્માને ગુણ-સ્વભાવ આચાર
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy