SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત પચ્ચવના બલે આચારની વિશિષ્ટ ભૂમિકાની પ્રાપ્તિ | મૂળ વાત એ હતી કે આચારની સામાન્ય મર્યાદા હેય તે પચ્ચની વિશિષ્ટ ક્રિયાથી તેમાં વૃદ્ધિ થઈને આચારની વિશિષ્ટ ભૂમિકા પણ સહેલાઈથી આવી શકે. - બાલમુનિ અઈમુત્તાના માનસમાં સામાન્યથી ભૂમિકા હતી કે“સાધુને કાચું પાણી ન અડાય, આ સામાન્ય ભૂમિકાએ સંયમમહાવતેની પ્રતિજ્ઞા-પચ્ચ૦ના પાલનના વિચારની ધારાએ ચઢી ઉત્કૃષ્ટ આચારની મર્યાદાઓ–તીવ્ર સંવેગભાવે મેળવીને કેવળજ્ઞાન સુધી બાળમુનિ પહોંચી ગયા ! આમાં પ્રતાપ કોને ! આચારશુદ્ધિની સામાન્ય ભૂમિકાએ કરેલ મહાવ્રતની પ્રતિજ્ઞાને ! તેના આધારે જ બાળમુનિ અઈમુત્તા સાધુજીવનની ઉત્કૃષ્ટ ભૂમિકા રૂપ કેવળજ્ઞાનને પામી શક્યા. ઉપસંહાર - આ રીતે આચારની ભૂમિકાનું મહત્વ પચ્ચ માં દર્શાવ્યું, તે ઉપરથી પચ્ચ૦ એ કાર્ય છતાં તેનું નિરૂપણ પહેલાં કરી કારણરૂપ આચારશુદ્ધિને પછી જણાવવાની વાત સહેલું છે એ નક્કી થયું. કાર્ય સહચર કારણ તરીકે આચારશુદ્ધિનું મહત્વ વળી કાર્ય પહેલાં કારણ હોય તેમ છતાં અહીં પહેલાં કાર્ય પચ્ચ બતાવી ગયા, પછી કારણ તરીકે આચારશુદ્ધિ જણાવી છે તેનું એ પણ કારણ હેઈ શકે કે–આચારશુદ્ધિ માત્ર પચ્ચ૦ ની પૂર્વાવસ્થામાં રહેનારૂં કારણ નથી પણ કાર્યસહચર કારણ છે, એટલે પચ્ચને ટકવા માટે, વધવા માટે, પણ આચારની મર્યાદાઓની વ્યવસ્થા જરૂરી છે. પચ્ચલેવા પહેલાં જ આચારની મર્યાદામાં રહેવું જરૂરી છે એમ નથી, પણ પચ્ચ૦ને પાળવામાં, ટકવામાં ચાવતું તેની સાનુબંધતા માટે આચારશુદ્ધિનું સાપેક્ષ મહત્વ છે આ વાત પહેલાં સત પદની સાર્થકતામાં વિચારી ગયા છીએ, + -
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy