SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૨-જુ પર શુદ્ધિ માટે આચારની કારણુતા વિષે કુતર્ક (પૂર્વપક્ષ) અહીં વાદી શંકા કરે છે કે–વ્યવહારમાં તે પ્રથમ પિતા હોય તે પછી પુત્ર થાય, પહેલાં માટી હાય પછી તેમાંથી ઘડો થાય, એટલે કારણ પહેલાં હય, પછી તેમાંથી કાર્ય નિપજે, તે રીતે આચારમાં વ્યવસ્થિત હોય તેને પચ્ચ૦ ની ક્રિયા સંભવે એમ ઉપર જણાવી ગયા, તે એને અર્થ એ થયો કે–આચારની વ્યવસ્થામાંથી પચ્ચ ની ઉત્પત્તિ છે. તે આચારની વ્યવસ્થા કારણ કહેવાય, અને તેમાંથી નિપજતું પચ્ચ૦ કાર્ય કહેવાય, તે “ક્રાનિતપૂર્વત્તિ શ” વ્યાખ્યા પ્રમાણે ચોથા અધ્યયનમાં આચારશુદ્ધિની વાત જણાવવી જોઈએ અને પાંચમામાં પચ્ચ૦ ની વાત બતાવવી જોઈએ, તે પાંચમા અધ્યયનને આચારશ્રત કેમ કહ્યું?” પચ્ચ૦ શુદ્ધિ માટે શિલિવિશેષથી આચારશુદ્ધિનું મહત્ત્વ (ઉત્તરપક્ષ) જ્ઞાની ભગવંતે આ બાબત ખુલાસે કરે છે કે–“ભાઈ! વાત તારી સાચી છે! પણ અહીં કંઈ શાસ્ત્રકાર ભગવંત કાર્ય– કારણે ભાવ દર્શાવવા નથી બેઠા કે “ભાઈ! ન્યાયની રીતે કેસ કારણ છે? અને કયું કાર્ય છે?” જેથી કે કારણને પ્રથમ સ્થાન આપવું અને કાર્યને પછી ! એ બધી ભાંજગડ થાય! પદાર્થની વ્યાખ્યા કે સમજુતી આપવા બેઠા હોય ત્યાં નિરૂપણ શૈલી ભિન્ન પ્રકારની હેય! - તેથી અહીં પચ૦ની ક્રિયાનું મહત્વ આચારશુદ્ધિના પાયા પર નિરિત બતાવી અવિરતિના ભયંકર પાશમાંથી પુણ્યાત્માને બથાવ છે, એટલે તેમાં શૈલી વિશેષથી પ્રથમ કાર્યનું નિરૂપણ કરી આ કાર્ય શેનાથી થાય?'' એ દર્શાવવા કારણની રજાઆત કરવાથી વિવેકી જીવને તે કારણે પ્રતિ હાર્દિક અનુરાગ જાગે, નહીં તે પ્રથમ કારણ બતાવી દે, પછી કાય બતાવી દે, એટલે રાબેતા મુજબ
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy