SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ છે, દુનિયાને જણાવીને શું કામ છે?” એમ કરી દેવ, ગુરૂ કે સંઘની સાક્ષી વિના પ્રતિજ્ઞાઓ ન લેવાય! જૈન શાસનના કાયદેસર બંધારણની રીતે પચ્ચક્ખાણ માટે દેવ-ગુરૂ અને સંઘની સાક્ષીનું મહત્વ છે. એમ ને એમ લીધેલી પ્રતિજ્ઞાઓ વાસ્તવિક ન ગણાય. વ્યવહારમાં જેમ રાજતંત્રના કાયદાઓ માન્ય રાખવા પડે છે, તેમ ધર્મની આરાધનામાં જિનશાસનની મર્યાદાઓની માન્યતા જરૂરી છે. મૂળગુણ પચ્ચ. ગુરુ મુખે જ લેવાય મહાવતે કે અણુવ્રતે આદિની પ્રતિજ્ઞાઓ આપમેળે ન લેવાય, એકાસણું આદિના સામાન્ય પચ્ચક્ખાણેની વાત જુદી છે, તે ભલે ! પિતાની મેળે લઈ શકાય, જેમકે વ્યવહારમાં વિશ રૂપિયા સુધીની ભરપાઈની પહોંચમાં સ્ટેપ-ટિકિટ ચેડવાની જરૂર નથી હોતી, તે રીતે એકાસણા આદિનાં પચ્ચખાણ તમારી મેળે લઈ શકે છે, પણ વશ રૂપીયા ઉપરની પાવતી ઉપર જેમ સ્ટેપટિકિટ ચડવી પડે છે તેમ આણુવ્રતે કે મહાવતેની પ્રતિજ્ઞાઓ તે ગુરૂમુખે શ્રીસંઘની સાક્ષી એ જ લેવાય, આ બાબતમાં પુંડરીક રાજાનું દષ્ટાંત વિચારવા જેવું છે. પુંડરીક રાજાનું દષ્ટાંત “પુંડરીક-કંડરીક બે ભાઈઓ, તેમાં કડરીક ના ભાઈ બાપને દીક્ષા લેવાને વિચાર થયો અને કહ્યું કે-“આ સંસારના દાવાનળમાં અનાદિકાળથી મારે આત્મા સળગી રહ્યો છે ! જિનશાસનની મર્યાદા અનુસારે પાપના પચ્ચકખાણ કર્યા વિના વિષયકષાયની ભીષણ નાગચૂડમાંથી છૂટી શકાય તેમ નથી! નિષ્કારણ કરૂણના ભંડાર ગુરૂ મહારાજને હાલમાં અનુકૂળ વેગ મળે છે! માટે તાકીદે આ સંસારના કારાવાસથી છૂટવા માટે હું સર્વવિરતિના મંગળ પંથે જવાની તત્પરતા ધરાવું છું.”
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy