SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ આગમજ્જાત નથી રહ્યા, પણ પરસ્પર કાર્યકારણભાવના સંબંધથી સંકળાયેલ અહિ'સા, સંયમ અને તપની ત્રિપુટીને ઉત્કૃષ્ટ મંગળરૂપ દર્શાવી છે, અર્થાત્—અહિંસા ધર્મ ઉત્કૃષ્ટ મંગળરૂપ ત્યારે અને જ્યારે કે સંયમરૂપ અહિંસા ધર્માં હાય ! સંયમરૂપ અહિંસાધમ ઉત્કૃષ્ટ મંગળ ત્યારે અને જ્યારે કે સંયમરૂપ અહિંસાધમ તપમય અને ! એટલે પાપાથી અટકવા રૂપ સયમ એ અહિંસા ધર્મીનુ વાસ્તવિક સ્વરૂપ ફલિત થયું. આ ઉપરથી જેના તથા જૈનેતરોની માન્યતા વચ્ચે સમજણનું કેવું માટું આંતરૂ છે? એ સમજાઈ ગયું હશે. હિંસા આદિના ત્યાગમાં જૈન અને જૈનેતરાની ધારણાનુ અંતર વળી જૈનેતરા હિંસા આદિ પાંચે પાપ છે માટે તેના ત્યાગ કરીએ એટલે ધમ થશે અર્થાત પુણ્ય 'ધાશે એવી પણ ધારણા રાખતા હાય છે, જૈનશાસનમાં તે આશ્રવ તરીકે મનાએલ હિંસા આદિ પાંચે પાપના ત્યાગ સવરભાવની બુદ્ધિથી કરવાના છે, પુણ્ય બાંધવાની દૃષ્ટિ જિનશાસનમાં સ્વીકૃત નથી, નિરાના ધ્યેયથી ચાલતાં અધ્યવસાયાની ચલ-વિચલ દશાના કારણે પુણ્ય અધાઈ જાય તે જુદી વાત ! પણ કામના પૂર્ણાંક પુણ્ય બાંધવાની વાત જિનશાસનમાં નથી. પુણ્યને જ્ઞાનીઓએ વળાવાની ઉપમા આપી છે વળાવાના ઉપયાગ વચગાળે જંગલમાં રસ્તાની અટપટી ગૂંચ કે શિકારી પશુએના કે ચારેના ત્રાસમાંથી બચવા પૂરતા જ હાય ! અરખસ્તાનના પઠાણુ કે પૂરીભૈયા ગુરખા વગેરેનું મહત્ત્વ માત્ર ચારો વગેરે બદમાશેાથી પેાતાની મિલ્કત અને જાનના રક્ષણ પૂરતું જ હાય. જૈનેતરાએ તે હિસાઆદિના ત્યાગ કરવાથી કે દયા, સત્ય, બ્રહ્મચય આદિનું પાલન કરવાથી પુણ્ય બંધને પ્રાધાન્ય આપ્યું.
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy