SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૨-જુ પ૪ વૃત્તિ સાથે યંગ્ય જ્ઞાની ગુરૂની નિશ્રાએ જ જિનશાસનના તને મર્મ સમજાય છે. હિંસા આદિને ત્યાગ જેન તથા ઈતરના શાસનમાં દેખીતી રીતે એક સરખે છતાં ખરેખર તે ત્યાગ પાછળની ભાવનામાં બહુ મોટું અંતર છે! ઇતની માન્યતામાં હિંસા આદિ પાંચને ત્યાગ ધર્મબુદ્ધિએ થાય છે. જ્યારે જેને હિંસા આદિ પાંચને ત્યાગ કયી બુદ્ધિથી કરે છે? એ ખાસ સમજવા જેવી ચીજ છે. તેના ઉપર જ હિંસા આદિના કરાતા પચ્ચક્ખાણની સફળતાને આધાર છે. જૈનેતર કરતાં જેનેની પાપની વ્યાખ્યાનું માસિક રહસ્ય અહીં ઉપલકીયા વિચારથી કદાચ કેઈને એમ લાગે કે“ઈતરે હિંસા આદિને ત્યાગ કરવામાં ધર્મ માને છે તે શું જેને હિંસા આદિ કરવામાં પાપ સમજે છે ? જેથી એને ત્યાગ ધર્મબુદ્ધિએ નથી કરતા એમ કહેવાય છે. એવું તે હેય નહીં ! તે પછી જેને અને ઈતર વચ્ચે હિંસા આદિને ત્યાગ કરવાથી ધર્મ થાય એ વાતમાં ક્યાં ફરક છે?..... વગેરે” પણ ખરી રીતે જેને હિંસા આદિને ત્યાગ કરવા પાછળ જે આશય રાખે છે તેનું મહત્વ સમજવાની જરૂર છે, તે આશય એ છે કે–હિંસા આદિ કરીએ તે જ પાપ થાય એમ નહીં, પણ હિંસા કરે તો પાપ લાગે જ, પણ હિંસાની પ્રતિજ્ઞા ન કરે તે પણ પાપ લાગે, ઈતરે હિંસા આદિમાં તે પાપ માને જ છે, પણ હિંસા આદિનું પચ્ચક્ખાણ ન કરવામાં પાપ છે, એમ નથી માનતા, એટલે તેઓ હિંસા આદિ પાપ છે, માટે તેને ત્યાગ કરીએ તો ધર્મ થાય એમ સમજી હિંસા આદિ પાપને ત્યાગ કરે છે. ખરેખર તે હિંસા આદિની પ્રવૃત્તિ કરવાથી પાપ જે લાગે તેના કરતાં હિંસા આદિ કરવાના પચ્ચકખાણ ન લેવાથી જે પાપ
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy