________________
* દશાશ્રીમાળી હિતેચ્છુ ” નું અવલોકન.
૫૮૩
છાપ્યાં છે તે વ્યક્તિઓ પૈકી એક તો માત્ર દેષથી અને બીજી વ્યક્તિ કોઈનું વાજીંત્ર બનીને લખે છે અને બેમાંથી એક આવત ગહન વિષય સંબંધી દલીલોને સહમજવા જેટલી કેળવાયલી નથી. તેથી હું તેવી વ્યક્તિઓ સાથે સવાલ-જવાબમાં ઉતરવામાં ભૂષણ માનતો નથી. અનેક દૃષ્ટિાબંદુથી કરાયેલી હારી દલીલે “હિતેચ્છુમાં અગાઉ બહાર પડી ગયેલી છે તે વાંચવા-હમજવા જેટલી પલ્સ હમારા ચર્ચાપત્રીઓમાં પ્રમાણિકતા કે હુમજ હોત તે અર્થ વગરની અને દલીલ વગરની લીટીઓ ભરવાની ઈછા જ તેઓને થવા ન પામતે. તે છતાં જહેમને સામાજિક દષ્ટિથી એ વિષયની ચર્ચા સાંભળવાની પ્રમાણિક ઇચ્છા જ હશે તેમને માટે હમારો અંક પ્રકટ થવા અગાઉ આજના મહારા દળદાર અંકની શરૂમાં પુષ્કળ લખાઇ છપાઈ ચૂકયું છે. હવે જારે હમે વિધવા લગ્નની વિરૂદ્ધમાં છે ચર્ચાપત્રો એક સાથે છાપ છો, હારે પૃષ્ટ ૪૬માં “સાદરાના એંસી પિોલીટીકલ એજન્ટ શ્રીયુત પાનાચંદભાઇની પુત્રી ' જેનાં એકવાર લગ્ન થયાં હતાં. પરંતુ લગ્ન પછી તરતજ વર ટુંક બીમારીથી ગુજરી ગયા હતા, હેના બીજીવારના મુંબઈ ખાતે થયેલા લર બાબતમાં આપણી જ્ઞાતિમાં આવા સુધારાની શરૂઆત થઈ છે તે બહુ ખુશી થરા જેવું છે ” એમ લખે છે. એનો અર્થ શું ? દશાશ્રીમાળી વણિક ઉપર એક જ એક રૂપી મહો દ્વારા ગરમ અને ઠંડી બન્ને હવા ફુકવાથી હમે હેમના હિતેચ્છુ નું કામ બનાવે છે કે બીમાર બનાવવા જેવું કરે છે ? અગર શું ત્વમે એમ કહેવાય માગે છે કે વિધવાલગ્ન નિયમ તરીકે તો ધિક્કારવા જેવાં છે,
દાખલા તરીકે, લલિતાના મહેમાં કલાપિની “ વૈધવ્ય વધુ વિમલતા, બહેન ! સૈભાગ્યથી કે; છે ભક્તિમાં વધુ વિમળતા.
જુન ! શૃંગારથી કે” એ વગેરે લીટીઓ ( અશુદ્ધ કરીને ) મૂકી છે. પણ એનો અર્થ કઈ હમજે છે ? “ હારા મૃદુ હદયને વેધય આપીને આપ્ય” એનો અર્થ જરા લેખિકા પાસે પૂછાવશે ! કલાપિ પિતઆટલા દીવ્ય પ્રેમની વાતો કરનારો-વિષયતૃમિ વગર રહી શક્યો હતો ? ધર્મ પત્નીના દેખતાં પરાઈ સાથે “દી સુખ" માણવાની કબુલાત તેણે કરી છે ખરી ? જરા Hard facts નજરમાં રાખીને વાત કરે તેને જવાબ આપવો પાલવે; બાકી સાધુતાના ઉભરા આગળ દલીલ જ નથી. ( વૈધવ્ય વિમલતા કેવા પ્રકારની અને કેટલી ત્રાસજનક હદની છે તે, ઇછા હશે તે, કાઠિયાવાડની ખાનદાન જીવતી વિધવાઓના દાખલા સાથે બતાવીશ