________________
समयना प्रवाहमां. Current popies.
(१) अगीआरमी जैन श्वेताम्बर कॉन्फरन्सना प्रमुखना
भाषण- अवलोकन. કલકત્તા ખાતે હિંદી પ્રજાકીય મહાસભાના સમેલન પ્રસંગે મળેલી અગીઆરમી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના પ્રમુખના ભાષણનું અવલોકન કરતાં મુંબઈ સમાચાર, સાંજવર્તમાન, હિન્દુસ્તાન વગેરે દૈનિક પત્રોએ તેમજ જૈન પેપરેએ પુષ્કળ પ્રશંસા કરી છે એટલું જ નહિ પણ “જૂની સ્કૂલ” ના સંરક્ષક “જૈન ધર્મ પ્રકાશે ” પણ પ્રમુખના દરેક શબ્દ તરફ ફિદાગીરી જાહેર કરી છે, જેથી હવે , અત્યાર સુધીમાં કૅન્ફરન્સના પ્રમુખ તરફથી થયેલાં ભાષણોમાં શ્રેષ્ઠ મનાયેલા એ ભાષણ માટે ૯ ડિછુ ” તરફના એક વધુ પ્રશંસાપત્રની કોઈ જરૂર રહેતી નથી. જે કાંઈ જરૂરનું છે તે, પ્રશંસા કે તિરસ્કારથી વેગળા રહી, તે ભાષણના આશયે ખુલા કરી બતાવવા એ જ છે, કે જેથી તે તરફ સમાજનું લક્ષ ખેંચાવા પામે. અને એ જ દષ્ટિબિંદુથી આ અવલોકન લખવાની અને ગત્ય વિચારી છે.
આખું ભાષણ એક વ્યાપારી દૃષ્ટિથી લખાયેલું છે. વ્યાપારી અને વિદ્વાન એ બેનાં દષ્ટિબિન્દુઓ તેમજ બોલવા-ચાલવાની પદ્ધતિઓ ભિન્ન હોય છે. એક વ્યાપારી હકીકતો (Facts) અને આંકડા (figures) એકઠા કરવા વધારે કાળજી રાખે છે અને તેવાં સાધન પર જ આધાર રાખીને નિર્ણય ઉપર આવે છે, અને તે નિર્ણ જાહેર કરવાની તહેને જરૂર જણાય તો તે સાવચેતીભર્યા શબ્દો દ્વારા જ પિતાનું કથન કથે છે. વેપારમાં જહારે નફા-ટોટાને સવાલ હોય છે, હારે હામાં પક્ષને અપ્રિય લાગે એવી વાત–જે કે પિતાની ખાસ રીત-સંભળાવી દેવામાં વેપારી શરમ રાખતા નથી. કલકત્તા કૅન્ફરન્સના પ્રમુખે આજ સુધીના બીજા પ્રમુખના રીતથી