________________
લેખકને નમ્ર વિનંતિ.
પૂજ્ય મુનિરાજાઓ, જૈન ગ્રેજ્યુએટ તથા વિદ્વાન જૈન લેખકને સવિનય વિનંતિ કરવામાં આવે છે કે જૈન વસ્તીવાળા લગભગ તમામ શહેરમાં મહાન કોન્ફરન્સને વિજય વાવટો ફરકાવતા તથા કોન્ફરન્સના સર્વમાન્ય વાજીંત્ર ગણાતા આ માસિક પત્રમાં કોન્ફરન્સ હાથ ધરેલા વિષય સંબંધી તથા સમસ્ત જૈન કામની સામાજિક, નૈતિક અને ધાર્મિક ઉન્નતિ સાથે પ્રત્યેક વ્યક્તિની આત્મિક ઉન્નતિ થાય તેવા સરળ ભાષામાં લખાયેલા લેખોને પ્રથમ પદ આપવામાં આવે છે અને જૈન ભવ્યત્વ સૂચવનાર ઐતિહાસિક લેખોને પણ ખાસ સ્થાન અપાય છે. અમે આશા રાખીએ છીએ કે પદવીધારી જૈન ગ્રેજ્યુએટોની માફક અન્ય વિદ્વાન જૈન લેખકે તથા પૂજ્ય મુનિ મહારાજાઓ, વધારે નહીં તે માત્ર વર્ષમાં એકાદ વખત આઠ દશ પૃષ્ઠ જેટલા લેખ આ પત્રમાં લખી મોકલી સ્વધર્મી બંધુઓને પોતાની વિદ્વત્તાનો લાભ આપવાનું મન ઉપર લેશે.
( ૧ આ પત્ર માટેનું લખાણ કાગળની એકજ બાજુએ, સારા અક્ષરથી અને શાહી વડે લખવા તસ્દી લેવી. કાગળની બન્ને બાજુએ, અથવા પેન્સીલથી લખેલું લખાણ ટાઈપમાં ગોઠવતાં બહુ અડચણ પડે છે તેમજ ભૂલ થવાને પણ વિશેષ સંભવ છે માટે આ સૂચના તરફ લક્ષ આપવા ખાસ વિનંતિ છે.
૨ લખાણ મોડામાં મોડું દરેક મહિનાની તા. ૧૫ મી પહેલાં અમને મળવું જોઈએ.
૩ લેખકનો લેખ યોગ્ય જણાશે તો દાખલ કરી, જે અંકમાં પ્રસિદ્ધ થશે તે અંક અને નિયમિત લેખકને નિયમિતપણે સર્વ અંક મફત મેકલવામાં આવશે.
૪ પસંદ નહિ પડેલા લેખો પાછા મોકલવાનું બનતું નથી, જેને જોઈએ તેણે ટપાલ ખર્ચ મોકલી મંગાવી લેવા.,
૫ અપ્રકટ પ્રાચીન જૈન ગુજરાતી સાહિત્ય, ધાર્મિક અભ્યાસ વધે તેવા સંવાદ, શિક્ષણ સારી રીતે આપી શકાય તેવા અભ્યાસપાઠો, પદાવલિઓ, શિલાલેખો, ગ્રંથની પ્રશસ્તિઓ, પ્રાચીન જૈન પ્રભાવકનાં ચરિત્ર વગેરેને ખાસ પ્રથમ સ્થાન આપવામાં આવશે.
૬ રાજ્યકીય-ધાર્મિક વિવાદવાળું, નિંદાત્મક વગેરે આડે માર્ગે દોરનાર અને કલેશ ઉપજાવનાર લખાણને સ્થાન બીલકુલ આપવામાં નહિ આવે.
૭ લેખકે પિતાનું પૂરું નામ તથા સ્કાણું લખવા કૃપા કરવી, તે પ્રગટ કરવા ઇચ્છા હોય તો તે અગર તેમ ન હોય તે કેાઈ સંજ્ઞા-તખલ્લુસ મોકલવું. નનામા લેખ લેવા કે પાછા મોકલવા બંધાતા નથી.
મેહનલાલ દલીચંદ દેશાઈ. બી. એ. એલ્ એ બી. - પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ તંત્રી. જૈન શ્વેતાંબર કોન્ફરસ હેડ.