________________
Anna
લાલા લજપતરાય શું કહે છે!
૨૩૯ ગુરુ હતા. મારા જીવનમાં મેં જેએલા ઉચ્ચ સાધુઓમાંના એક હતા. તેઓ પિતાના સિદ્ધાંતને જીવનભર જાળવી રહ્યા અને દેહદમન તથા વિકારને અંકુશમાં રાખવામાં નિપુણતા મેળવવામાં સફળ નિવડયા હતા, પણ નૈતિક ધોરણના ઉચ્ચ કાનુનેને અનુસરીને જોઈએ તે તેઓનું જીવન શુષ્ક અને અસ્વાભાવિક હતું. હું તેમને ચાહતો અને માન આપતો પણ તેમને મત સ્વીકારી શકે નહિ. તેમજ તેમણે પણ મને પિતાને મત સ્વીકારાવવાની કાળજી કરી નહિ. પણ તેના ભાઈ–મારા દાદા-જુદીજ પ્રકૃતિના પુરૂષ હતા. તે અહિંસા ધમ-વિકૃત અહિંસાધર્મ-પાળતા. તે મત ગમે તેવા સંગમાં કોઈના પ્રાણ હરવાની મનાઈ કરે છે, પણ તે પિત, પિતાના ધંધાને અનુસરતાં, જે જે પ્રપંચ ખેલવા પડતા તે સર્વ પ્રપંચને વ્યાજબી ગણતા એટલું જ નહિ પણ સર્વોત્તમ માનતા. પિતાના ધંધાના વ્યવહાર શાસ્ત્રાનુસાર એ પ્રપંચ તેમને મન છુટ આપી શકાય તેવા હતા. જુ, પક્ષી અને એવા બીજાં પ્રાણીઓ મૃત્યુના મુખમાં આવી પડતાં હોય તો તેને બચાવવામાં હજારો રૂપિઆ ખરચી નાંખે પણ સગીર કે વિધવા સાથે લેવડ દેવડ કરવામાં તેમને છેલ્લો કળીઓ પણ ટાવી લે એવા એ મતને માનનારાં ધણાં મનુષ્ય મેં જોયાં જાણ્યાં છે. હાલના જેને–
હું કોઈ રીતે એમ કહેવા નથી માગતે તે ભારતવર્ષમાં અન્ય હિંદુ કેમ કરતાં જેને વધારે અનીતિમાન છે, અથવા એમ પણ નથી કહેતા કે અહિંસા એવી અનીતિ તરફ દોરી જાય છે. એવા મિથ્યા પારોપણને અણસાર પણ મારાથી દૂર રહો! પિતાની રીતભાતમાં જૈને ઉદાર, અતિથિપૂજક, બુદ્ધિશાળી અને વ્યવહારમાં કુશળ છે. હિંદુઓમાં એવી બીજી જ્ઞાતિઓ પણ છે. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે અહિંસાના અમર્યાદિત
વહારે તેઓને અન્ય કેમ કરતાં વધારે ઉચ્ચ નીતિના પંથે ચડાવ્યા નથી. વસ્તુતઃ જેર જુલમ અને લુટફાટને લીધે જો કોઈ કે મને વધારે ખમવું પડતું હોય તો તે જૈન કેમજ છે. કારણ કે વારસામાં મળેલી ભીરતા અને બળના ઉપગ તરફ તિરસ્કારને લીધે બીજા કરતાં તેઓ વધારે લાચાર હોય છે. તે આત્મરક્ષણ કરી શકતા નથી, તેમજ પિતાના પ્રિયજનની આબરૂને સાચવી શકતા નથી. શું કર્તવ્ય છે?
વર્તમાન કાળે યુરોપ, સામાથ્યને દેવો હકક માગનાર અવતાર છે. ત્યાં લ્હાયનો અવતાર રાપના સદભાગ્યેજ થયું. પરંતુ ભારતવાની સ્થિતિ તદન જુદી જ છે. જુલભાટના; આ• ક્રમણનાં કે લુટફાટનાં કર્તવ્ય માટે બની કે જબરજસ્તી વાપરવાને ઉપદેશ આર્યસંતાને આપે જ નહિ. મને વિશ્વાસ-શ્રદ્ધા છે કે આર્યભૂમિ એટલી પતિત થશે જ નહિ. પણ આ પણું આબરૂનું તેમજ આપણું સ્ત્રી, બેન, પુત્રી કે માતાની પ્રતિષ્ઠાનું રક્ષણ કરવા માટે પણ આપણે આપણું સાર્મથ્યને ઉપગ કરે એ પાપભર્યું છે એવું શિક્ષણ તે આપણે પાલવે તેમ નથી. એવું શિક્ષણ અસ્વાભાવિક અને અનિષ્ટકારક છે. આપણે રાજદારી ખૂનોને ધિક્કારી કાઢીએ; અરે ! એથી પણ ન્યાય ખાતર, ન્યાયપુરઃસર હેતુ પાર પાડવા અન્યાયયુક્ત અને કાયદા વિરૂદ્ધ બળને ઉપયોગ કરવાની રીતને અવખંડી કાઢીએ પરંતુ જ્યારે એક મહાન્ અને લોકમાન્ય પુરૂષ આપણુ યુવાનને કહે કે “ દુષ્ટ જોરજુલભ કરનાર મનુષ્યને સામા થયા વિના આત્માણ કરીને જ આપણે આપણું આધારે