SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ લાલા લજપતરાય શું કહે છે! २३७ ઉલટું ઉપલી દંત કથાઓમાં તે બ્રાહ્મણો ઉપકારને બદલે અપકાર કરવાવાળા છે એવું સાબિત થાય છે. ત્યમ રાત્તિ: શારિત: રા: એ પ્રમાણે જૈનધર્મને અન્યધમાં ઉલ્લેખના દ્વિતીય ભાગને દ્વિતીય ખંડક અને દ્વિતીય ભાગ સંપૂર્ણ થયે –ગોકુલદાસ નાનજીભાઈ ગાંધી. લાલા લજપતરાય શું કહે છે? અહિંસા પરમે ધમ" સત્ય છે કે ઘેલછા ! અહિંસા પરમ ધર્મ : સત્ય કરતાં ઉચ્ચ ધર્મ નથી અને “અહિંસા પરમો ધર્મ:કરતાં વર્તન દર્શક એક ઉત્તમ માર્ગ નથી. યથાર્થ સમજાય અને જીવન વ્યવહારમાં યથાર્થ ઓતપ્રોત કરવામાં આવે તો એ સૂત્ર મનુષ્યને મહાગ્ય અને વીરતા બક્ષે છે. અયોગ્ય ભ્રમથી જીવનમાં તેને અયથાર્થ ઉપયોગ થાય તે મનુષ્ય બીકણ, બાયેલા, અધમ અને મૂર્ખ બની જાય છે. એક કાલે ભારતવાસીઓ તે સૂત્ર યથાર્થ સમજતા હતા, અને તેને આચરણમાં યથાર્થ ઉપયોગ કરી પણ જાણતા હતા, ત્યારે તેઓ સત્ય, ઔદાર્ય, અને વીરતાના ગુણવડે અલંકૃત હતા. એ ઉદાર સત્યનું વિકૃત સ્વરૂપ એક સમય એવો આવ્યો છે જ્યારે કેટલાક સદગુણી મનુષ્યોએ સંપૂર્ણ ઉચ્ચ આશયથી અને , સાધુતાથી તેનું સ્વરૂપ ઘેલછામાં ફેરવી નાખ્યું, તેને સર્વ સદ્ગુણથી ઉચ્ચસ્થાન આપ્યું એટલું જ નહિ પરંતુ સદાચારી જીવનની કસોટીનું અપૂર્વ શસ્ત્ર બનાવ્યું. તેમણે પિતાના જ જીવનમાં તેને અતિશય મહત્વ આપ્યું એટલું જ નહિ પણ અન્ય સર્વ ગુણને ભેગે ઉચ્ચતમ પ્રજાકીય સગુણનું સ્વરૂપ આપી દીધું, અન્ય સર્વ ગુણો જે મનુષ્યને અને પ્રજાને ઉચ્ચ પ્રતિભાશાળી બનાવે છે, તેને પાછળ મૂકી દીધા અને તેમના મત અનુસાર આ ભલાઈની એકજ કસોટીથી તે સર્વ ગુણને ગણપદ આપ્યું. તેનાં ભયંકર પરિણામ ધૈર્ય, શાર્ય, વીરત્વ એ સર્વ સદ્ગુણ ધીમે ધીમે ઘસાઈ ગયા, પ્રતિષ્ઠા અને સ્વમાન વિલુપ્ત થઈ ગયાં. સ્વદેશાભિમાન, સ્વદેશ પ્રીતિ, કુટુંબ પ્રતિ અનુરાગ જાતિ ગરવ એ સર્વને ઝળહલત દીપ ઓલવાઈ ગયો. અહિંસાના વિપરીત આચરણના દુરપગને લીધે અથવા સર્વ ઉચ્ચ તત્વોને ભોગે તેને અમર્યાદિત મહત્વ આપવાથી જ હિંદુઓને સામાજિક, રાજકીય તેમજ નૈતિક અધઃપાત થે. મરદાનગીમાં અહિંસા કરતાં કોઈ પણ રીતે તાત્વિક ઉણપ નથી એ વાત તેઓ તદ્દન વિસરી ગયો. તત્ત્વતઃ એ સગુણને જે યોગ્ય રીતે વ્યવહારમાં મુકાય તે તે અહિંસાથી અલ્પાંશે પણ અસંગત નથી. વ્યક્તિહિત કે રાષ્ટ્રીય કલ્યાણ માટે બળીઆથી નિર્બળનું રક્ષણ કરવાની, અન્યાયભર્યું આક્રમણ કરનાર * જુલાઈના મોડર્નરિવ્યુમાં આવેલા અંગ્રેજી લેખનું ભાષાંતર
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy