________________
પાટણના જેન ભંડારે.
૨૯
રા. દલાલ શ્રી કાન્તિવિજયજી પાસે પાટણના સાગરના ઉપાશ્રયમાં બેસીને પુસ્તકો જઈ તપાસી તેનું નામ, ગ્રંથકાર, વસ્તુ, મંગલાચરણ અને છેલ્લી પ્રશસ્તિઓ વગેરેનું ઉપયોગી ટાંચણ કરી લેતા, અને આથી સર્વ ભંડારોની યાદીમાં પણ તેમણે સાથે સાથે તૈયાર કરી છે. વાડી પાર્શ્વનાથ ભંડારના માલેક શેઠ વાડીલાલ હીરાચંદે પોતાનાં સર્વ પુસ્તકોને સંપૂર્ણ રીતે હવાલે કરી તેને પૂર્ણ છુટથી ઉપયોગ કરવાની વ્યવસ્થા કરી આપી હતી. આ ભંડારમાં અતી પ્રાચીન અને ઉગી પુસ્તક હોવાથી તે પણ મદદરૂપ થઈ પડયાં હતાં. વળી તે શેઠે સંઘવીના પાડાના ભંડારમાંના તાડપ પણ મેળવી આપવામાં મદદ કરી હતી. પાટણના ડેકટર એ. ડી. કટારીએ પણ ઘણી રીતે સહાય કરી હતી. પાટણની ખ્યાતિ.
મધ્યકાલીન સમયના ૧૧-૧૨ અને ૧૩ મા સૈકામાં ઉદાર રાજ્યાશ્રયથી પાટણ ખ રેખર જેનેનું કેન્દ્રસ્થાન હતું. જેન આચાર્યોએ ઇતિહાસ, ધર્મ, નીતિ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય વગેરે સંબંધી અનેક ગ્રંથો લખી ગુજરાતમાં જે સાહિત્ય ઉત્પન્ન કર્યું છે તે અતિશય વિશાળ છે. જેનેતર વિદ્વાને તેને ખ્યાલ હજુસુધી આવ્યો નથી એટલું જ નહી પરંતુ તેના પ્રત્યે સમભાવવાળી સત્ય રુચિ પણ ઉત્પન્ન થઈ નથી. રા. દલાલના શબ્દોમાં કહીએ તે પાટણના ગૂર્જર રાજ્યની સ્થાપના જેનાથી થયેલી છે, અને વનરાજના સમયથી પાટણ જૈનના મધ્યબિંદુ તરીકે પ્રસિદ્ધ થયેલ છે. જૈન ધર્મ તથા તેના આચાર્યોને મળતા રા. જ્યાશ્રયથી ૧૦ થી ૧૩ મા શતક સુધીમાં જૈન આચાર્યોએ ગુજરાતના પાટનગરમાં તથા અન્ય સ્થળોએ રહીને ઘણા અગત્યના ગ્રંથ રચીને ગુજરાતનું સાહિત્ય ઉત્પન્ન કરેલું છે. જૈન આચાર્યોએ રચેલું સાહિત્ય બાદ કરીએ તે ગુજરાતનું સાહિત્ય અત્યંત શુદ્ધ દેખાશે. સાહિત્યની પ્રવૃત્તિ પુસ્તકોના સંગ્રહ વગર અશકય છે અને તેથી જૈનાએ પોતાના ધાર્મિક સાહિત્ય ઉપરાંત વૈદ્ધ તથા બ્રાહ્મણ ગ્રંથે પાટણ, ખંભાત વગેરેના સ્થળોના ભંડારોમાં સંગ્રહેલા હતા. અને આ ભંડારોના લીધે જ બૈઠે તથા બ્રાહ્મણના પ્રાચીન ગ્રંથે જે કોઈ પણ ઠેકાણેથી મળે નહી તેવા અહીં ઉપલબ્ધ થયેલા છે. પ્રાચીન ભંડાર
ગુજરાતના મહારાજા કુમારપાલ કે સિદ્ધરાજના સમય પહેલાં જેન ભંડારો હતા કે નહી, હતા તો ક્યાં હતા તેની માહીતી મળી શકતી નથી, છતાં જૈન ગ્રંથ તે વિક્રમની છઠી સદીમાં લખાયા હતા એ નિર્વિવાદ છે અને તે હિંદપર અનેક વિદેશી હુમલાઓ થયા હતા તેથી, છઠા સાતમા આઠમા સૈકામાં બહેનું જોર, કુમારીલ ભટ્ટ અને ત્યારપછી શંકરાચાર્યને ઉદ્દભવ, આબેનું સને ૧ર માં સીંધ દેશનું જીતી લેવું વગેરે અનેક કારણોથી અગ્નિ, જલ અને જંતુઓને વશ થઈ ઘણે ભાગે નાશ પામ્યા હતા.
ત્યારપછી “કુમારપાલે ૨૧ ભંડાર અને રાજા વિરધવલના પ્રસિદ્ધ મંત્રી વરતુપાલે. ૧૮ કોડના ખર્ચે મોટા ત્રણ ભંડારો થાલા હતા, પરંતુ અત્યંત દીલગીરીની વાત છે કે આ મહત્વના ભરડાનું એક પણ પુસ્તક પાટણના ભંડારોમાં જોવામાં આવતું નથી. આના કારણમાં ઉતરતાં જણાય છે કે કુમારપાલની ગાદીએ આવનાર અજયપાલ જેનો અને જૈન ધર્મને એટલો બધે દેશી બન્યું હતું, કે જૈન સાહિત્યને નાશ કરવામાં તેણે