SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જેને હવે. . હેરલ્ડ. શેઠ કુંવરજી આણંદજી ( તારંગાજી, પાલીતાણું, ગીરનાર ) બાબુ રાયકુમાર સીંહજી ( સમેતશીખરજી તથા નગરીઓ ) તથા રા. રા. કેશવલાલ પ્રેમચંદ મોદીને લખવું. . સ્ટેન્ડીંગ કમીટીને સ્થાનિક મેમ્બરોની એક મીટીંગ તા ૨૩-૬-૧૬ શુક્રવારે રાત્રે છા વાગે (મું. ટા.) શ્રી જેન વેતાંબર કોન્ફરન્સ ઓફીસમાં મળી હતી. ત્રીજી મીટીંગ તે વખતે ૮ મેમ્બરો હાજર હતા પ્રમુખ સ્થાને શેઠ કલ્યાણચંદ શોભાગચંદ બરાજયા હતા. શરૂઆતમાં આગલી મીનીટ વાંચી મંજુર કરવામાં આવી બાદ નીચે મુજબ કામકાજ થયું હતું. ૧. બાબુ પુરણચંદજી નાહર તથા રા. રા. દેલતચંદ પુરૂષોત્તમ બરોડિયા સાથે શીલા લેખો બાબત પત્રવ્યવહાર કરવો. બનારસથી રાજા સત્યાનંદ પ્રસાદસિંહ તરફથી આવેલ પત્ર તથા તાર વાંચવામાં આવ્યો તે ઉપર વિચાર કરી નીચેના ગૃહસ્થોને બનારસ હિદુ યુનિવર્સીટીના મેમ્બર તરીકે નીમવામાં આવ્યા અને રાજ સત્યાનંદ પ્રસાદસીંહને આ ખબર તારથી આપ્યા. ૧. રાજા સત્યાનંદ પ્રસાદસીંહ બનારસ. ૨. બાબુ નીહાલચંદજી ૩. રા. રામકનજી જુઠાભાઈ મહેતા મુંબઈ. ૩. શેઠ મોહનલાલ હેમચંદ તથા શેઠ નરોત્તમદાસ ભાણજીના રાજીનામા રજુ કરવામાં આવ્યાં તેઓને લખી જણાવવું કે “ આપના રાજીનામા મંજુર કરી શકતા નથી આપની કરેલી નીમણુંક સ્વીકારશો અને કાર્ય હાથ ધરશે. ” ૪. રા. રા. કેશવલાલ પ્રેમચંદ મોદીને પત્ર વાંચવામાં આવ્યો. તેમને લખવું કે શીલા લેખે બાબત કાર્ય હાથ ધરવામાં આવેલ છે. ડે. ગેરીનેટની બુકોમાંથી યોગ્ય ઉતારા ફ્રેંચમાંથી અંગ્રેજીમાં કરાવવા, આપ સુચના તથા ઓફર કરેલી છે તે માટે આભાર માનવામાં આવ્યો. ઉતારા કરવા, છપાવવા એસ્ટીમેટ વગેરે નક્કી કરી બીજી મીટીંગમાં રજુ કરવું. બીલ્ડીંગ ફંડ માટે માંગરોળ જૈન સભાના સેક્રેટરી તરફથી આવેલ પત્ર રજુ કરવામાં આવ્યો. આ બાબત શેઠ કલ્યાણચંદ શેભાગચંદ વિચાર કરી યોગ્ય કરવું. ૬. શ્રી સુકૃત ભંડાર ફુડ કમીટીની મીટીંગ બોલાવવા શેઠ લાલભાઈ કલ્યાણભાઇને પત્ર લખવા. ૭. ડૉક્ટર નાનચંદ કસ્તુરચંદ મેદીને આસિસ્ટંટ સેક્રેટરી તરીકે એક વર્ષ માટે નીમ વામાં આવ્યા. ૫, સ્ટેન્ડીંગ કમીટીના સ્થાનિક મેમ્બરની એક મીટીંગ તા. ૧૭-૮-૧૬ ના રોજે રાત્રે છા વાગે (મુ. ટા.) શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફીસમાં મળી હતી. તે ચોથી મીટીંગ વખતે ૧૩ મેમ્બરો હાજર હતા. પ્રમુખસ્થાને શેઠ કલ્યાણચંદ શેભા ગચંદ બરાજ્યા હતા. શરૂઆતમાં આગલી મીટીંગ વાંચી મંજુર કર વામાં આવી બાદ નીચે મુજબ કામકાજ થયું હતું – ૧. મુનિ શ્રી છનવિજયજી મહારાજ તરફથી છપાયેલાં ફોર્મો મંગાવી આવતી મીટીંગ વખતે રજુ કરવાં. બુકની કીમત શું રાખવાના છે તે તથા મદદની અપેક્ષા હોય તે પૂછાવવું.
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy