SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૧ પપણુપવી. પૂજ્યતમ મહાત્મા શ્રી આનંદઘનજી મહારાજ પણ આવી નકામી પણ પાયમાલ કરનારી તકરારે કરનારા પ્રતિ દયાભાવથી ઉપદેશ છે કે વસ્તુ વિચારે વાદ પરમપરારે, પાર ન પહેચે કેય.” અત્રે સૂએ વિચારવું જોઈએ કે આત્મસ્થિરતા થાય ત્યારે જ પર્યુષણ જાણવું. ભલે ચેાથ હોય વા પાંચમ હોય તેથી શું ! !! પણ આત્મસ્થિરતા થવી જોઈએ. આત્મસ્થિરતાથી મુક્તિ છે પણ ચોથ પાંચમથી જ ખાસ મુક્તિ થાય છે એવું કશું નથી. મંડલના માણસો એકઠા થઈ ભલે પિતાની મુકરરતા પ્રમાણે કેટલાક ચોથે પ્રતિક્રમણ કરે, પાંચમે ભલે કરે, કે પંદર દિવસ આગળ પાછળ ભલે કરે પણ ગમે તે ઉપાયે આત્મસ્થિરતા થવી જોઈએ. પ્રતિક્રમણ કરવાથી આત્મસ્થિરતા થાય છે કે કેમ, એ જોવાનું છે. કેટલેક સ્થળે તે એથે પાંચમને વાદવિવાદને તકરારનું રૂપ આપીને પર્યુષણપર્વને અશાંતિમય બનાવી દે છે. કેટલેક સ્થળે તે આત્મસ્થિરતા મેળવવાને સમયે એટલે પર્યુષણપર્વમાં આખા વર્ષની નાત જાતની, દેરાસરની કે ઉપાશ્રયાદિની તકરારે, પ્રતિક્રમણ કરવાના સ્થાનમાં જાહેર રીતે ઉખેળીને નકામી ચાવ કરવામાં આવે છે અને તેમાંથી છેવટે કજીયા પણ થયા વગર ભાગ્યેજ રહેવા પામે એવું સ્વરૂપ પકડાય છે. જો કે વ્યવહાર સાચા છે પણ તે પર્યુષણમાં ઉખેળવાને નથી. પર્યુષણમાં તે દરેક જીવને ખમાવીને પરમશાંત બની આત્માભિમુખ . ઉપગ રાખવા શીખવું જોઈએ. જે એ પ્રમાણે રાગદ્વેષના મૂળભૂત તકરાર તજી દઈને કેવળ આત્માભિમુખવૃત્તિ રાખીને શ્રી વિતરાગ દેવે પિતાના અભેદ માર્ગમાં પ્રરૂપેલ શ્રી પર્યુષણ પર્વનું પરમ પ્રેમપૂર્વક ઉજવણું કરવામાં આવે તે જ પર્યુષણપર્વની સફળતા થઈ અનુભવાશે બાકી તકરારો માટે તે આખું વર્ષ તૈયારજ છે ને! ! ! - . ચાથ પાંચમ કે બીજા વાર્ષિક ઝગડા તજીને શાંત ચિત્તે આત્માભિમુખવૃત્તિ રાખી વર્તવું. ચોથ અને પાંચમ ભિન્ન થશે તે બે દિવસ ધર્મધ્યાનનું વાતાવરણ પ્રવર્તશે વળી પંદર દિવસ પછી પર્યુષણ થશે તે એ પણ એક શુભ-માંગલિક દિવસ તરીકે ગણશે. એ દિવસ ધર્મધ્યાનને હાઈ સૃષ્ટિના સૌંદર્યમાં વૃદ્ધિ કરનારે થશે. માટે એ નકામી તકરાર કઈ પણ રીતે આત્મહિત કરનારી તે નથી જ. ભલે થે, પાંચમે કે પંદર દિવસ પછી કરે પણ આત્મસ્થિરતા થશે તે જ તેમને પર્યુષણ પર્વનું ફળ પ્રાપ્ત સારા પ્રમાણમાં થયું જાણવું - છેવટ બેધ–આ વિષયમાં ઘણું સમજવાનું છે તથા કહેવાનું છે તેને સાર સંક્ષેપમાં સમજાવ્યો છે. આવું સર્વ પર્વાધિરાજ માંગલિક પર્વ વર્ષમાં એક જ વખત આવે છે માટે તે સંપૂર્ણ ભાવથી ઉજવવું. ધાર્મિક ક્રિયાઓ ઉત્સાહપૂર્વક કરવી અને ભાઈચારે વધે, અભેદષ્ટિ થાય, સતત આત્માભિમુખ ઉપયોગ રહ્યા કરે તેમ વર્તન ચલાવવું. શ્રી વીતરાગને અભેદ ભાગે આત્મજ્ઞાનમય છે પણ આ કાંઈ ભફાકીયા પંથ નથી. સર્વની અભેદ દષ્ટિ થઈ શ્રી વીતરાગ દેવે ભાખેલા અભેદ ભાગદ્વારા સમાધિમાગે પામીને પરમ શાંતિમાં સકલ વિશ્વ વિરામે એજ ઈચ્છા હ્યુસ્ટન્. ও হানি আলি হল:
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy