________________
??
પર્યુષણ પર
તેઓ ખાસ ઉપસર્ગ સિવાય જતા જ નથી. તેએાની ઈચ્છા અન્ય ગામ જવાની થાય તે તેમને માટે અધિકાર પરત્વે શાસ્ત્રકારોએ ના પાડેલી છે. આઠ દિવસમાં સાધુ મુનિરાજો પણ શ્રાવકાને પૃણ મદદરૂપ થઈ પડે છે.
કૃષણપર્વ અને શ્રાવકો:—આ દિવસનું પર્યુષણપર્વ શ્રાવકોએ પરમશાંતિમાં વ્યતીત કરવું જોઇએ. પ્રાચીનકાલથી આ પર્વમાં શ્રાવકો વ્રત પ્રત્યાખ્યાન કરે છે. દાન, શિયલ, તપ અને ભાવના ભાવે છે તથા સાધુ મુનિરાજેની વૈયાવચ્ચ કરે છે, એટલું જ નહિ પણ પસ્તી શ્રાવકાનું પણ પૂર્ણભાવથી વૈયાવચ્ચ કરે છે, આ બધું ભ્રાતૃભક્તિ વધારવાનું ખાસ સાધન છે. જગતમાં ભાઇચારા થાય તે જ દેશોન્નતિ થઈ શકે છે.
પર્યુષણપર્વમાં શી રીતે વર્તવું જોઇએઃ-આત્મસ્થિરતા પ્રાપ્તકરવા માટેઅખિલ વિશ્વ તરફ આત્મભાવ રાખવા, સઘલા જીવ, ભૂત, પ્રાણ, સત્ત્વ તર અભેદ દૃષ્ટિ રાખવી, દરેક તરફ પૂર્ણ પ્રેમની નજરે જોવું. એવી ભાવના રાખવી અખિલ વિશ્વમાં સઘળે આત્મ સ્વરૂપ જ છે. માટે કોની તરફ રાગદ્વેષ કરવા. સઘળે મારાં જ રૂા છે. મારા, ઇશ્વરના અને અખિલ વિશ્વના પ્રાણીઓને અભેદ છે. કોઇ ભિન્ન નથી જ, એમ જાણી દરેક પ્રતિ પ્રેમ, અને પ્રેમ રાખવેા. મનમાં આનંદમય રહેવું, ઝાઝુ ખેલવું નહિ, પણ આત્મધ્યાન જ કરવું. આત્મધ્યાનની અનુકુળતા માટે થોડું ખાવું, ઉપવાસ કરવા, પ્રત્યાખ્યાન ( નિયમ ) કરવા, અને બંને વખતે પ્રતિક્રમણ-( આસનજયાદિ માટે ) કરવાં. જિનદેવદર્શન પૂજન કરવાં. મુનિરાજે પ્રતિ ઇશ્ર્વર્તુલ્ય ગુરૂભક્તિ અને ધર્મબંધુ તરફ ભ્રાતૃભાવ રાખીને અખિલ વિશ્વ તરફ આત્મભાવ રાખી વર્તવું. ટૂંકામાં કહીએ તે પર્યંષણપત્રના આરાધકે પરમશાંતિપૂર્વક દરેક ભૂત તરફ આત્મભાવ રાખીને વર્તવું અને આત્મધ્યાનના દોર તૂટવા દેવા નિહ. દાર ન તૂટે તેટલા માટે તેને મદદ કરનારા સામાયિક પ્રતિક્રમણાદિક આવશ્યક ક્રિયાએ અવશ્ય કરવી જોઇએ. જેને ન આવડતી હોય તેણે સમભાવથી બીજા પાસેથી શ્રવણ કરી તે પ્રમાણે વર્તન કરવું જોઇએ. ઉત્તમ અધિકારીએ અતર્મુખ ઉપયોગ ન ભૂલવા જોઇએ અને સાધારણ અધિકારીએ અતર્મુખ ઉપયોગ કરવા સતત પુરૂષાર્થ કરવા જોઇએ. ટૂંકામાં કહીએ તે આત્માભિમુખવૃત્તિ રાખીને વર્તવું એ શ્રમણે અને શ્રવણાપાસકાનુ પયૂષણુપર્વમાં પ્રથમ અને મુખ્ય કર્તવ્ય છે અર્થાત્ પર્યેષણુપર્વમાં કેવલ આત્માભિમુખ વૃત્તિ રાખીને વર્તવું જોઈ એ.
પર્યુષણ પર્વના લાભ:—આપર્વથી મનુષ્યમાં અધીનતાના ગુણ પ્રાપ્ત થાય છે જીવાયાની ખમાવવાથી મનમાં દીનતા સાથે અંતઃકરણમાં નિર્મળતા આવે છે. જિનાલયેા દ્વારા સાંધ્યનું ભાન થતાં પ્રેમ પ્રકટ થાય છે. નિત્ય પ્રત્યે સામાયિકાદિકથી આસનજય થતાં પ્રાજય, મનેાજય કરી શકાય છે, અભેદ ભાવના ભાવતાં અખિલ વિશ્વમાં જ્ઞાનમય આમત્સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. તે ઉપરાંત શ્રી કલ્પસૂત્રાદિકારા મહાવીરાદિ મહપુરૂષો ના જીવનચરિત્રાનુ શ્રવણ થતાં શી રીતે વર્તન કરવાથી મેાક્ષની પ્રાપ્તિ થઇ શકે છે. તેપણુ
સમજી શકાય છે
પષણ પર્વમાં સાંવત્સરિક પ્રતિક્રમણ—પ્રતિક્રમણમાં પ્રતિ એટલે સામાં અને ક્રમણ એટલે પગલાં ભરવાં. આત્મા સામે કે આત્માભિમુખ પગલાં ભરવાં તે પ્રતિક્રમણ.