________________
ક૭૪
શ્રી જૈન કૅન્ફરન્સ હેરલ્ડ.
આત્માની ઉન્નતિ ભુલાઈ જવાય છે, જ્યારે અહંકારની સરદારી નિચે મલીન તત્વનું બંડખેર સૈન્ય સામ્રાજ્ય ભોગવે છે. ધર્મની આવી ખેંચતાણમાં “વિશેષ” ધર્મનું શિક્ષણ સાર્વજનિક શાળાઓમાં ન જ અપાય એ સ્વાભાવિક અને કંઇક અંશે આવશ્યક પણ લાગે છે.
આ વિટંબણામાંથી મુક્ત થવાના હેતુથી જ દેવસ્થળો અને મઠની એજના હસ્તિમાં આવી હશે, આમ પ્રાચીન ભારતના ઈતિહાસ વાંચતાં સમજાય છે. એક તરફથી વેદ મતાનુયાયીઓ કોશી ક્ષેત્ર અને ઉજજયનીમાં પોતાના ધર્મનું અને તત્વજ્ઞાન (Philosophy)નું શિક્ષણ આપતા, ત્યારે બુદ્ધ મતવાળાઓ પટના અને ભલંદની મહાશાળાઓમાં અસં. ખ્ય “ભિક્ષુઓ”ને અન્નવસ્ત્રાદિથી પોશી તેમને સામાન્ય અને ધાર્મિક શિક્ષણ આપતા. તે સમયના આચાર્યો આધુનિક સમયના મોજીલા અને જ્ઞાનવિહીન ગુરૂઓ નહોતા; પણ તેઓ તે પ્રજ્ઞાવાન હોઈ જ્ઞાનાંજનથી બંધ ચક્ષુને ખોલતાં અને પિતાને આપવામાં આવતા “દાન ”ને આવા “લોકહિતના કાર્યમાં સદુપયોગ કરતા; જ્યારે તેઓના નિવૃત્તિ નિવા
- આશ્રમો વિદ્યાથીના ગામ જેવા શોભી રહેતા. હાલના સમયમાં તે તેઓના ગણાતા વારસો ઘણીવાર પિતે જાતે જ મઠાધિપ થઈ પડતા જણાય છે અને પિતાને આપવામાં આવતા દાનદક્ષિણાનો ઉપયોગ વિદ્યાવૃદ્ધિ અર્થે ન કરતાં કેટલીક વખત માત્ર પિતાનાજ ઉદરપોષણાર્થે અથવા મોજશેખમાં કરતા જણાય છે, તે થોડા શેચની વાત નથી.”
એકાદ બે બાબતોની આપણે આ સ્થળે આ ગ્રંથના આધારે તપાસ કરશું. આપણું આચાર્યો અને વિચાર કરતાં જણાય છે કે પ્રાચીન સમયમાં વસિષ્ઠ, વિશ્વામિત્ર, દ્રણ ઈત્યાદિ મુનિવર્યો તે તે સમયના આદર્શ વિદ્યાગુરૂઓ જ હતા, અને ધાર્મિક અને વ્યવહારોપયોગી શિક્ષણ પણ તેઓ જ આપતા. હજારે શિવ્યાને અન્નવસ્ત્રાદિ વિનામૂલ્ય આપી પુત્રવત તેઓનું પિષણ કરી તેઓને ઐહિક આમુષ્મિક ઉપયોગનું જ્ઞાન આપી “કુઇતિ” નામને સાર્થ કરતા. હાલના “ગુરૂઓ” તે કેટલીકવાર માત્ર પોતાનાજ ઉદરપોષણને ધંધે લઈ બેઠેલા હેઈપિતાના “શિષ્યોને-“ચેલાઓને અધમ દશામાં સડતા બનાવી આલસ્ય અજ્ઞાન અને પ્રમાદને પ્રચાર કરતા પ્રતિત થાય છે. તે જ પ્રમાણે જ્યારે પ્રાચીન ઋષીઓનાં નિવાસસ્થાનો-“આશ્રમો,”વિદ્યાલયની પવિત્ર સંજ્ઞાને શોભાવતા અને વિદ્યાના દેદિયમાન પ્રકાશથી અજ્ઞાનાંધકારને દુર કરી લોકકલ્યાણ સાધવાના પુણ્ય યશને પ્રાપ્ત કરતા, ત્યારે આધુનિક “મ” છત્રાનિસ્ટર હોવાને બદલે કાતિ નિરક્ષર અને આલસુ “ગુરૂજી” અને તેમના તેટલાજ સ્વછંદી “ચેલાઓ”ના વિલાસી સ્થાનની હાનીકર અને મલીને અપકીતિને લાયક બને છે, અગર તે માત્ર આડંબર અને બાહ્યોપચારની ભવ્યતાથી અજ્ઞાન પણ ભેળા લોકોના મન અને હૃદયને મેહપાશમાં રાખનાર પણ સદુપદેશની સાત્વિક્તાથી રહિત દેવસ્થાનોમાં ફેરવાઈ ગયેલ કયારેક દશ્યમાન થાય છે. જેમ આપણા પૂર્વજોએ પિતાના ધર્મપાલકોને “ગુરૂની શ્વાધ્ય પદવી આપેલ હતી, તેજ પ્રમાણે અધુના પાશ્ચાત્ય દેશોમાં પણ ધર્માલયો અને ધર્મગુરૂઓ બને એક સરખા વિદ્યાવૃદ્ધિના પવિત્ર કામમાં યોજાએલ છે. આમ થવાથી ત્યાં “સ્વધર્મ”નું જ્ઞાન બાલકને નથી અપાતું એવી ફર્યાદ તદન નિર્મળ થઈ ગઈ છે. પ્રાથમિક કેલવણી તે માત્ર આ ધર્મગુરૂઓના હાથમાં રહેલ છે અને તેથી ઉછરતી પ્રજા તે લોકોના ઉપદેશથી પિતાના સ્વધર્મના જ્ઞાનમાં બબર સ્થિત થયેલ હોય છે.
આ ઉપરથી એટલું તે ખુલ્લું જણાય છે કે ધાર્મિક કેલવણીના પ્રચારને અર્થે કોઈપણ